વાહન ડિટેન કરવાએ ટ્રાફિકની સમસ્યાનો હલ નથી

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
આમ આદમી પાર્ટીના સ્ટેટ જોઇન્ટ સેક્રેટરી નૈમિષ પાટડીયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા વાહન ડિટેઇન કરવામાં આવે છે. પણ વાહન ડિટેન કરવા એ કોઇ ટ્રાફિક સમસ્યાનો હલ નથી. વધુમાં જણાવ્યું હતું કે, સોની બજારમાં વર્ષો થયા દરબારગઢથી કોઠારીયા નાકા વન-વે છે આ વન-વેને કડક બનાવવાની જરૂરીયાત છે ત્યાંના વાહનો જો રૈયાનાકા નવાનાકા તરફ ડાઈવર્ડ થવા જોઈએ તથા ત્યાં ટ્રાફિક વોર્ડન ડ્યૂટી પર હોવા જોઈએ.

Visit Saurashtra Kranti Homepage here

કોઠારીયા નાકે હાલમા પે પાર્કિંગ છે પરંતુ મોટી ગાડીઓના હિસાબે ટુ વ્હીલર રાખી શકાતા નથી તો ત્યાં માત્ર ટુ વ્હીલર પાર્કિંગ જ રાખવું જોઈએ. વાહન ડિટેઇનમાં સોની બજારના 5000 વધારે દુકાનો છે તેમના કારીગરો વાહનો ડિટેઇનથી ખુબજ હેરાન થાય છે. દાગીનો બનાવા માટે ઘણી બધી પ્રોસેસ હોય જેથી આજુબાજુના રાજ્કોટના વિસ્તાર માથી એ પ્રોસેસ કરાવવા મેટ સોની બજારમાં આવતા હોય છે

Read About Weather here

એમની મૂશ્કેલી વાહન ડિટેઇનથી ખુબજ વધી જતી હોય છે. ખાસ કરીને જ્યારે બપોરે જમવાનો ટાઇમ થાય ત્યારે સુર્વણકારો જમવા જતા હોય છે ત્યારે કોઠારીયા નાકે લારી ગલ્લા વાલાઓ ક્ષફ હિસાબે ખુબજ ટ્રાફિક થાય છે એનું પણ નિવારણ જરૂરી છે. વિનંતી સાથે જણાવવાનું કે કોઈપણ સંજોગોમાં કારીગરોના વાહન ડિટેઇન કરવા યોગ્ય નથી જેનું નિવારણ તાત્કાલિકના ધોરણે લાવવા વિનંતી.(4.1)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here