કપાસ અને મગફળીનાં પાકને મોટો ફટકો પડયા: કુવાઓમાં પાણી નથી નદૃી – નાળા સુકાયા
રાજકોટ જિલ્લાનાં કોટડા સાંગાણી તાલુકામાં પણ પાંચેક ઈંચ વરસાદ માંડ પડયો છે. જિલ્લા પંચાયતનાં પૂર્વ સભ્યો અને વિંછયાનાં આગેવાનોએ જણાંવ્યુ હતું કે, ઓછા વરસાદૃથી કપાસ અને મગફળીનાં પાકને મોટો ફટકો પડયો છે. મગફળી પાક સુકાવા લાગ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
કુવાઓમાં પાણી નથી નદૃી – નાળા સુકાયા છે તળાવો ખાલી છે આવી સ્થિતિમાં સરકાર ઝડપથી આ તાલુકાને દુુષ્કાળગ્રસ્ત જાહેર કરે. જસદણ – વિંછીયા જેવી જ હાલત પડધરીની છે. પડધરીનાં ધારાસભ્ય લીલીત કગથરાએ પણ સરકારે આ તાલુકાને દૃુષ્કાળગ્રસત જાહેર કરવા માંગણી કરી છે.
રાજકોટ જિલ્લામાં આશરે પ. ર0 લાખ હેકટરમાં ચોમાસુ પાકનું વાવેતર થયું છે. તેમાંથી ર લાખ હેકટર કરતા વધુ વાવેતર આ ચાર – પાંચ તાલુકામાં થયું છે. વરસાદૃ જો હજુ ખેંચાશે તો લાખો હેકટરમાં પાકને મોટું નુકશાન થશે. તળાવો – ચેકડેમ પણ ખાલી હોય પાક – પાણીનું ચિત્ર ચિંતાજનક ઉપસી રહ્યું છે.
અનેક ગામડાઓમાં અત્યારથી પીવાનાં પાણીની ખેંચ ઉભી થઈ રહી છે. રાજકોટ કલેકટર કચેરીએ શહેરી એરીયામાંથી મળેલા આંકડાની સરખામણીમાં તાલુકાનાં ગ્રામ્ય સ્તરેથી વરસાદનાં આંકડાઓ જે પંચાયતો મારફત મળ્યા છે તેમાં મોટો તફાવત છે. ચાર તાલુકાઓમાં ચાર ઈંચ કરતા ઓછો વરસાદૃ નોંધાયો છે.
પંચાયતનાં અહેવાલ મુજબ આ વર્ષે ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં જેતપુર 98 મીમી, જસદૃણ પ9 મીમી, પડધરી 7પ મીમી, અને વિંછીયામાં 93 મીમી વરસાદૃ નોંધાયો છે. મહેસુલ વિભાગનાં અછત મેન્યુલ મુજબ જે તાલુકામાં પાંચ ઈંચ (1રપ મીમી) કરતા ઓછો વરસાદૃ પડયો હોય એ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે છે.
Read About Weather here
કોરોનાની લોકોને માંડ કળ વળી રહી છે ત્યાં દૃુષ્કાળનાં એંધાણ મળી રહયા હોય લોકોની ચિંતા વધી રહી છે. ઉતર ગુજરાત જ નહીં સોરાષ્ટ્રનાં અનેક તાલુકાઓમાં પણ આ વર્ષે ઓછો વરસાદૃ પડયો છે. રાજકોટ જિલ્લાનાં 11 તાલુકામાંથી ચાર તાલુકામાં ચાર ઈંચ કરતા ઓછો વરસાદૃ પડયો હોવાનાં અહેવાલો ગ્રામ્ય સ્તરેથી જિલ્લા પંચાયત કચેરીને મળ્યા છે. (3.13)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here