અધિકારીઓએ જણાવ્યું કે તેઓ ચિતા સૂરજના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પહેલા મંગળવારે એક નર ચિતા તેજસનું મૃત્યુ થયું હતું. તે માદા ચિત્તા સાથેની હિંસક લડાઈમાં ઘાયલ થયો હોવાનું કહેવાય છે.
Read About Weather here
જેના કારણે તેણે જીવ ગુમાવ્યો હતો. મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત થયું છે. આફ્રિકાથી લાવવામાં આવેલ મેલ ચિતા સૂરજનો મૃતદેહ શુક્રવારે સવારે મળી આવ્યો હતો. કુનોમાં છેલ્લા ચાર મહિનામાં આઠ ચિત્તા મૃત્યુ પામ્યા છે,
જ્યારે આ અઠવાડિયે મૃત્યુ પામનાર આ બીજો ચિત્તા છે.70 વર્ષ પછી ચિત્તાઓ દેશમાં પરત ફર્યા હતા, જ્યારે 17 સપ્ટેમ્બર 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના જન્મદિવસ પર કુનો નેશનલ પાર્ક ખાતે નામીબિયામાંથી 8 ચિત્તા છોડ્યા હતા. આ વર્ષે 18 ફેબ્રુઆરીના રોજ, દક્ષિણ આફ્રિકાના 12 વધુ ચિત્તા કુનોમાં છોડવામાં આવ્યા હતા.
એટલે કે કુલ 20 ચિત્તા લાવવામાં આવ્યા હતા.નામીબિયાથી લાવવામાં આવેલી સાશા નામની 4 વર્ષની માદા ચિત્તાનું કિડનીના ઈન્ફેક્શનથી મૃત્યુ થયું હતું. વન વિભાગે કહ્યું કે 15 ઓગસ્ટ, 2022ના રોજ નામીબિયામાં શાશાનો બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો,
Visit Saurashtra Kranti Homepage here
જેમાં ક્રિએટિનાઇનનું સ્તર 400થી વધુ હતું. આ પુષ્ટિ કરે છે કે શાશાને ભારત લાવવામાં આવે તે પહેલા કિડનીની બિમારી હતી. શાશાના મૃત્યુ પછી, ચિત્તાઓની સંખ્યા ઘટીને 19 થઈ ગઈ
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here