લાલુ યાદવને 5 વર્ષની સજા

લાલુ યાદવને 5 વર્ષની સજા
લાલુ યાદવને 5 વર્ષની સજા
રાંચીમાં CBIના સ્પેશિયલ જજ એસકે શશિએ વીડિયો કોન્ફ્રન્સિંગ દ્વારા સજા સંભળાવી હતી. હાલ લાલુ RIMSના પેઈંગ વોર્ડમાં દાખલ છે ચારા કૌભાંડના સૌથી મોટો કેસમાં ડોરંડા ટ્રેઝરીથી 139.95 કરોડની બિનકાયદે રોકડ કાઢવામાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને 5 વર્ષની સજા અને રૂપિયા 60 લાખંડનો દંડ ફટકારાયો છે..950 કરોડ રૂપિયાના દેશના બહુચર્ચિત ચારાકૌભાંડના સૌથી મોટા (ડોરંડા ટ્રેઝરીથી 139.25 કરોડના કૌભાંડ) કેસમાં મંગળવારે સુનાવણી કરવામાં આવી હતી. CBIની સ્પેશિયલ કોર્ટે RJD સુપ્રીમો લાલુ યાદવ સહિત 75 આરોપીને દોષિત જાહેર કર્યા હતા જ્યારે 24 લોકોને નિર્દોષ જાહેર કરાયા હતા.કોર્ટમાં સુનાવણી પહેલાં લાલુના વકીલ પ્રભાત કુમારે કહ્યું હતું કે લાલુ પ્રસાદ યાદવની ઉંમર 75 વર્ષ કરતાં વધુ છે. લાલુ યાદવ હાલ જેલ જવાની સ્થિતિમાં નથી.

Visit Saurashtra Kranti Homepage here

આ સંજોગોમાં કોર્ટમાંથી રાહત મળવાની અપેક્ષા છે. પહેલાંના કેસમાં સંજોગો અલગ હતા, હવે સંજોગો અલગ છે. આ કેસમાં 10 મહિલા આરોપી પણ છે.29 જાન્યુઆરીએ CBIના સ્પેશિયાલિસ્ટ એસ.કે. શશિએ કોર્ટની દલીલ પૂરી થયા પછી 15 ફેબ્રુઆરી સુધી ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. દરેક આરોપીને કોર્ટમાં ફિઝિકલ હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સુનાવણીમાં હાજર રહેવા લાલુ 2 દિવસ પહેલાં 13 ફેબ્રુઆરીએ રાંચી પહોંચી ગયા હતા.ડોરંડા ટ્રેઝરીથી 139.25 કરડો રૂપિયાની બિનકાયદે રોકડ ઉપાડવાના આ કૌભાંડમાં પશુઓને ખોટી રીતે સ્કૂટર પર લઈ જવાની વાત છે. આ એ સમયનો દેશનો પહેલો કેસ છે, જ્યારે બાઈક અને સ્કૂટર પર પશુઓને લઈ જવામાં આવ્યાં હતાં. આ સમગ્ર ઘટના 1990-92ની વચ્ચેની છે. CBIએ તપાસમાં જોયું છે કે ઓફિસરો અને નેતાઓએ મળીને કૌભાંડની એક અલગ ફોર્મ્યુલા બનાવી હતી.

400 આખલાને હરિયાણા અને દિલ્હીથી સ્કૂટર અને મોટરસાઈકલ પર રાંચી સુધી લાવવામાં આવ્યા હતા. જેથી બિહારમાં સારી નસ્લની ગાય અને ભેંસોનું ઉત્પાદન કરી શકાય. પશુપાલન વિભાગે 1990-92 દરમિયાન 2,35,250 રૂપિયામાં 50 આખલા, 14,04,825 રૂપિયામાં 163 આખલા અને 65 વાછરડાં ખરીદ્યાં હતાં.આટલું જ નહીં વિભાગે આ દરમિયાન ક્રોસ બ્રિડ વાછરડાં અને ભેંસની ખરીદી માટે 84,93,900 રૂપિયા મુર્રા લાઈવ સ્ટોક દિલ્હીના સ્વર્ગસ્થ પ્રોપરાઈટર વિજય મલ્લિકને આપ્યા હતા. આ સિવાય ઘેટાં-બકરાંની ખરીદી માટે પણ 27 લાખ 84 હજાર રૂપિયા ખર્ચ કર્યા હતા કૌભાંડની કાસ વાત એ છે કે જે ગાડી નંબરને વિભાગે પશુઓ લાવવા માટે રજિસ્ટર કર્યા હતા

એ દરેક સ્કૂટર અને મોપેડ હતાં. CBI તપાસમાં જોવા મળ્યું છે કે લાખો ટન પશુચારો, ભૂસું, પૂડા, પીળી મકાઈ, બદામના છોતરા વગેરે વસ્તુઓ પણ સ્કૂટર અને મોટરસાઈકલ પર લાવવામાં આવી હતી. દેશનાં દરેક રાજ્યના અંદાજે 150 DTO અને RTOથી ગાડી નંબરની તપાસ કરાવવામાં આવી હતી. આ કેસમાં 575 સાક્ષીનું નિવેદન નોંધવા માટે CBIને 15 વર્ષ લાગ્યાં હતાં. 99 આરોપીમાં 33 આરોપી પશુપાલન વિભાગના એ સમયના અધિકારી અને કર્મચારી છે, જ્યારે 6 આરોપી એ સમયના ટ્રેઝરીના પદાધિકારી છે.

Read About Weather here

જ્યારે આ કેસમાં 6 અધિકારી એવા છે, જેમને હજી સુધી CBI શોધી નથી શકી.CBIના મત પ્રમાણે આ કૌભાંડમા લાખો ટન ભૂસું, પૂળા, પીળી મકાઈ, બદામનાં છોતરાં વગેરે પણ સ્કૂટર-બાઈક ઉપર લાવવામાં આવ્યાં હતાં, પરંતુ રસપ્રદ વાત એ છે કે હરિયાણાથી સારી નસ્લના આખલા, વાછરડાં અને હાઈબ્રિડ ભેંસ પણ સ્કૂટરથી ઝારખંડ લાવવામાં આવ્યાં હતાં, જેથી રાંચીમાં પણ નસ્લી ગાય અને ભેંસ પેદા કરી શકાય.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here