વડાપ્રધાન મોદીનાં મૌન પર સવાલો ઉઠાવ્યા
યુ.પી. નાં લખીમપુર ખીરીની ઘટનામાં જેના પુત્રનું આરોપી તરીકે નામ છે તેવા કેન્દ્રનાં જુનિયર ગૃહમંત્રી અજયકુમાર મિશ્રાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેબીનેટમાંથી દૂર કેમ કરતા નથી.
Visit Saurashtra Kranti Homepage here
એવો સવાલ પ્રિયંકા ઉઠાવ્યો છે. તેમણે વડાપ્રધાનનાં મૌન અંગે સવાલો ઉભા કર્યા હતા. પ્રિયંકા ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે, મિશ્રાને કેબીનેટમાંથી બરતરફ નહીં કરીને વડાપ્રધાન એવો સંદેશો આપી રહ્યા છે
કે, સતા પર રહેલા લોકો ધારે તે કરી શકે છે. શું મિશ્રાને તત્કાળ દૂર કરવાની મોદીની નૈતિક જવાબદારી નથી? તેમણે એવો પણ કર્યો હતો કે પોલીસે મારી સાથે બળજબરી કરી હતી અને બાવડું પકડી વાહનમાં નાખવાની કોશિશ કરી હતી.
પ્રિયંકાએ જણાવ્યું હતું કે, આ દેશમાં સામાન્ય માનવી, ખેડૂતો, ગરીબો, દલિતો અને મહિલાઓને કોઈ ન્યાય મળતો નથી. વડાપ્રધાન આવો સંદેશો દેશને આપી રહ્યા છે. એમણે કહ્યું હતું કે અમે મૃતક ખેડૂતોનાં પરિવારોને છીએ.
Read About Weather here
પરિવારોએ અમને સ્પષ્ટ કહ્યું છે કે અમને નાણાંકીય વળતરની કોઈ ચિંતા નથી. મંત્રીને પાણીચો આપવામાં આવે તેની અમે રાહ જોઈ રહ્યા છીએ. પરિવારોને નાણાં નહીં ન્યાય જોઈએ છીએ.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here