લોહાનગર વિસ્તારમાં ઘરે રોટલી બનાવતી 14 વર્ષની તરૂણીના ઘરે જઈ તે જ વિસ્તારમાં રહેતા મનસુખભાઈ ઉર્ફે દિકુ હરીભાઈ પરમાર (ઉં.વ.23)એ બિભત્સ માગણી કરતા એ-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ લોહાનગર વિસ્તારમાં 14 વર્ષની કિશોરી ઘરે રોટલી બનાવી રહી હતી ત્યારે મનસુખ ઉર્ફે દિકુ ત્યાં ધસી ગયો અને બિભત્સ માગણી કરતા ડરી ગયેલી તરૂણી ભાગીને ઘરની બહાર જતી રહી હતી.
Visit Saurashtra Kranti Homepage here
રસ્તામાં તેના ભાભી સામે મળતા બન્ને લત્તામાંથી બહાર નીકળી ગયા હતા. થોડે દૂર જઈ તરૂણીએ તેના માતા-પિતાને જાણ કરતા તે ત્યાં આવી પહોંચ્યા હતા. દરમિયાન ઘર નજીક મનસુખ ઉર્ફે દિકુ હાથમાં ડીસમીસ લઈ અને તેના પિતા હરી પરમાર હાથમાં પાટીયુ લઈને ઉભા હતા. આ સમયે બન્નેએ તરૂણીના માતા-પિતા સહિતને મારવા છે તેમ બુમાબુમ કરતા ત્યાંથી ભાગી ગયા હતા.
Read About Weather here
હાલ પીઆઈ સી.જી. જોષીએ આ મામલે તરૂણીના માતાની ફરિયાદ પરથી મનસુખ ઉર્ફે દિકુ અને તેના હ2ી પ2મા2 (ઉં.વ.45)ની સામે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. સામાપક્ષે મનસુખ પરમાર (ઉં.વ. 23)એ તરૂણીના પરિવારજનો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું કે માતાજીના મઢના રૂા.2 હજાર લેવા જતા તેને પાઈપ, લાકડીથી માર મારવામાં આવ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here