ત્યારબાદ અક્ષય કુમારે પાન મસાલાની જાહેરાત કરવા બદલ માફી માગી હતી. થોડાં સમય પહેલાં સાઉથ સ્ટાર અલ્લુ અર્જુને તમાકુની જાહેરાત ઠુકરાવી હતી. હવે ‘KGF 2’ ફૅમ યશે પાન મસાલાની જાહેરાત ઠુકરાવી હતી. યશની એન્ડોર્સમેન્ટ ડીલ કરતી કંપની એક્સીડ એન્ટરટેઇનમેન્ટે આ વાતની પુષ્ટી કરી હતી.એક્સીડ એન્ટરટેઇનમેન્ટના હેડ અર્જુન બેનર્જીએ કહ્યું હતું, ‘પાન મસાલા તથા તેના જેવી પ્રોડક્ટ્સ લોકોના સ્વાસ્થ્યને ગંભીર રીતે અસર કરે છે અને જીવન માટે જોખમી સાબિત થાય છે. યશે હીરોઇક પગલું ભરીને આ ઑફર ઠુકરાવી દીધી છે. પાન મસાલાની જાહેરાત માટે યશને લોભામણી ઑફર કરવામાં આવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
જોકે, યશે પોતાના ચાહકો તથા ફોલોઅર્સને ધ્યાનમાં રાખીને ઑફરનો સ્વીકાર કર્યો નહોતો.વધુમાં બેનર્જીએ કહ્યું હતું, આખા દેશમાં યશની લોકપ્રિયતાને જોતા અમે ઈચ્છીએ છીએ કે તેની લોકપ્રિયતાનો યોગ્ય રીતે સારો સંદેશ આપવા માટે ઉપયોગ કરવામાં આવે. યશ સારી બાબતોને પ્રમોટ કરવા માગે છે.સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુને તમાકુ કંપનીની જાહેરાત ઑફર ઠુકરાવી દીધી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, કંપનીએ અલ્લુને કરોડો રૂપિયાની ઑફર કરી હતી. અલ્લુ પોતાના ચાહકોની વચ્ચે કોઈ પણ ખોટી વસ્તુ પ્રમોટ કરવા માગતો નહોતો. અલ્લુ તમાકુ ખાતો નથી. આ જ કારણે તેણે તમાકુ કંપનીની બ્રાન્ડ એન્ડોર્સ કરવાની ચોખ્ખી ના પાડી દીધી. અલ્લુના નિકટના સૂત્રોએ કહ્યું હતું કે ફિલ્મમાં સ્મોકિંગ કરવું એક્ટરના હાથમાં નથી.
![KGF 2' Contradicts Rocky Bhai Yash Image!](https://saurashtrakranti.com/wp-content/webpc-passthru.php?src=https://www.mirchi9.com/wp-content/uploads/2019/06/Yash-KGF-2-Look.jpg&nocache=1)
જોકે, તે પ્રયાસ કરે છે કે કોઈ બીજી વ્યક્તિ તમાકુનું સેવન ના કરે. તે આનાથી બચવા માટેના મેસેજ પણ આપતો હોય છે. અલ્લુના નિકટના લોકોએ કહ્યું હતું કે તે નથી ઈચ્છતો કે તેના ચાહકો આ તમાકુની જાહેરાત જોઈને તેને ખાવાનું શરૂ કરે અને તેઓ ખોટી આદતનો ભોગ બને. તે માને છે કે જે વસ્તુ તે ખાતો નથી તો તે કેમ તેને પ્રમોટ કરે?અજય દેવગન, શાહરુખ ખાન પછી અક્ષય કુમારે પાન મસાલાની જાહેરાત કરી છે. આ અંગે સો.મીડિયા યુઝર્સે અક્ષય કુમારને ટ્રોલ કર્યો હતો, કારણ કે અનેક ઇન્ટરવ્યૂમાં અક્ષય કુમારે કહ્યું હતું કે તમાકુ કંપનીઓ તેને કરોડો રૂપિયાની ઑફર કરે છે, પરંતુ તે સ્વીકારતો નથી. આટલું જ નહીં અક્ષય કુમાર ફિટનેસ માટે પણ ચાહકોમાં લોકપ્રિય છે. આથી જ યુઝર્સે તેને ટ્રોલ કર્યો હતો. વિવાદ વધતા અક્ષયે માફી માગી હતી.
![Allu Arjun Is The Best Dancer In Indian Cinema](https://img.mensxp.com/media/content/2021/May/Allu-Arjun-Dance-Numbers-1_60af55bd3e9dc.jpeg)
Read About Weather here
માફીનામામાં અક્ષયે કહ્યું હતું, ‘હું મારા તમામ ચાહકો તથા શુભેચ્છકોની માફી માગું છું. છેલ્લા કેટલાક દિવસોમાં તમારી પ્રતિક્રિયાએ મને હચમચાવી નાખ્યો છે. હું તમાકુનું સમર્થન કરતો નથી. તમે તમામે જે રીતે વિમલ ઇલાયચીની સાથે મારા જોડાણ અંગે તમારી ભાવના વ્યક્ત કરી એનું સન્માન કરું છું. હું પૂરી વિનમ્રતાથી આમાંથી પાછળ હટું છું. મેં જાહેરાતમાંથી મળનારી તમામ રકમને ડોનેટ કરવાનો નિર્ણય કર્યો છે. કાયદાને કારણે આ જાહેરાત ચોક્કસ સમયમર્યાદા સુધી પ્રસારિત કરવાનો કોન્ટ્રેક્ટ છે. જોકે ભવિષ્યમાં હું સાવચેત રહેવાનું વચન આપું છું. જોકે, સો.મીડિયામાં ટ્રોલિંગ થતાં તેમણે તેમના જન્મદિવસ પર પાન મસાલાની જાહેરાત સાથેનો કોન્ટ્રાક્ટ કેન્સલ કરવાની જાહેરાત કરી હતી.’બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને પણ પાન મસાલાને પ્રમોટ કરતા હતા.
![Top 10 Bollywood Actors with their Real Names](https://saurashtrakranti.com/wp-content/webpc-passthru.php?src=https://webseriesreview.org/wp-content/uploads/2022/03/amitabh.jpg&nocache=1)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here