રાત્રી કર્ફ્યુ વધુ 7 દિવસ લંબાવીને 29 જાન્યુઆરી સુધી અમલ કરાશે
હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડિલિવરી સેવા ર4 કલાક ચાલુ રાખવા છૂટ આપી: રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કફર્યુનો અમલ
મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં સંક્રમણ સ્થિતિની સમીક્ષા કર્યા બાદ નિર્ણય લેવાયો છે કે, રાજ્યના 8 મહાનગરો, બે શહેરો અને વધુ 17 નગરોમાં રાત્રી કફર્યુનો અમલ કરાશે. મુખ્યમંત્રીએ રાત્રી કફર્યુુ વધુ 17 નગરોમાં અમલ કરવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડિલિવરી સેવા ર4 કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર ઉપરાંત આણંદ અને નડિયાદમાં રાત્રી કફર્યુ અમલમાં છે મુખ્યમંત્રીએ આ ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટિવિટી રેશિયો ધરાવતાં 17 નગરો સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર, કાલાવડ,
Read About Weather here
ગોધરા, વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્ર્વરમાં પણ તારીખ 22 જાન્યુઆરી 2022થી દરરોજ રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કફર્યુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે. રાત્રી કફર્યુ 7 દિવસ માટે લંબાવીને તા 29 જાન્યુઆરી 2022 સુધીની કરવામાં આવી છે.(9)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here