થ્રી આર્મ ફ્લાય ઓવરબ્રિજ નાં નિર્માણ સબબ પોલીસ કમિશનરનું જાહેરનામું, મંગળવારથી રોડ પર તમામ વાહનોની અવરજવર બંધ થશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિવિલ હોસ્પિટલ ચોકમાં નિર્માણ પામી રહેલા થ્રી આર્મ ફ્લાય ઓવરબ્રિજની કામગીરી વધુ આગળ વધી રહી હોવાથી સિવિલ હોસ્પિટલ ચોકથી કેસર-એ-હિંદ બ્રિજ સુધીનાં રસ્તા પર તમામ પ્રકારનાં વાહનોની અવરજવર બંધ કરવામાં આવે છે. આ અંગે આજે પોલીસ કમિશનર દ્વારા શહેરીજનોની જાણ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
અગાઉ પોલીસ કમિશનરે 18મી માર્ચનાં રોજ હોસ્પિટલ ચોકથી મોસલી લાઈન સુધીનો રસ્તો વાહનોની અવરજવર માટે બંધ કરવાનું જાહેરનામું બહાર પડ્યું હતું. જે અન્વયે અગાઉ ફક્ત હોસ્પિટલ ચોકથી ખટારા સ્ટેન્ડ સુધીનો રસ્તો જ વાહનો માટે બંધ કરાયો હતો.
Subscribe Saurashtra Kranti here
નવા જાહેરનામાં મુજબ હવે ખટારા સ્ટેન્ડ ચોકથી મોસલી લાઈન સુધી બ્રિજનાં પીઅરનું તથા વોલનાં કામ માટે ખોદાણ કામ ચાલુ કરવાનું હોવાથી હવે તા.6 જુલાઈ થી સિવિલ હોસ્પિટલ ચોકથી લઈને કેસર-એ-હિંદ સુધીનો રસ્તો વાહનોની અવરજવર માટે બંધ થવા જઈ રહ્યો છે.
એ માટે કેસર-એ-હિંદ પુલ તથા પારેવડી ચોક તરફથી સિવિલ હોસ્પિટલ તરફ આવતા વાહનો (ફક્ત ટુ વ્હીલર, થ્રી વ્હીલર) ને અમદાવાદ રોડ પર બેડીનાકા, લોહાણાપરા મેઈન રોડ થઇ, મોચીનગર ચોક થઇ, હોસ્પિટલ ચોક થઇને ચૌધરી હાઈસ્કૂલનાં રસ્તા ભણી જવાનું રહેશે. મોચીબજાર ચોકથી ખટારા સ્ટેન્ડ થઇ રેલ્વે સ્ટેશન મેઈન રોડ થઈને જામટાવર પાસે કલેકટર કચેરીનાં રસ્તેથી જુબેલીબાગ તરફ અવર-જવર કરી શકાશે. આ જાહેરનામાંની જાહેર જનતાને નોંધ લેવા જાહેરનામામાં જણાવ્યું છે.
Read About Weather here
વિકાસના કામો જેટલા પણ નિર્માણાધીન છે એ તમામ બહુ જ ઝડપથી પુરા કરવા માટે નવા આવેલા મ્યુ.કમિશનરે અધિકારીઓને તાકિદ કરી છે. જેના અનુસંધાને રાત-દિવસ કામ ચલાવવાની પણ છુટ અપાઇ છે. લોકોને સહકાર આપવા મનપાએ અપીલ કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here