રાજકોટ સહિત અનેક શહેરોમાં પેપરલીક કાંડ અંગે કોંગ્રેસનું આંદોલન

રાજકોટ સહિત અનેક શહેરોમાં પેપરલીક કાંડ અંગે કોંગ્રેસનું આંદોલન
રાજકોટ સહિત અનેક શહેરોમાં પેપરલીક કાંડ અંગે કોંગ્રેસનું આંદોલન

ગૌણ સેવા પસંદગી મંડળનાં ચેરમેન અસિત વોરાનાં રાજીનામાંની માંગણી: રાજકોટ, ભરૂચ, પાટણ અને હિંમતનગર વગેરે શહેરમાં કોંગ્રેસનાં ધરણા: ત્રિકોણબાગ ખાતે પોલીસ ધસી ગઈ, શહેર પ્રમુખ અશોક ડાંગર સહિત 23 આગેવાનોની અટકાયત
બેકાર યુવાનો માટે ઉપયોગી આયોજન કરવાને બદલે હાલાકીમાં મુકવાનું રાજ્ય સરકારનું પગલું અત્યંત નિંદનીય: પ્રદિપ ત્રિવેદી
લાખો બેકાર યુવાનોને પરીક્ષા આપવા જવાનો ખર્ચ, સમયનો વ્યય અને ભારે હાલાકી ભોગવવા પડ્યા: ભાનુબેન સોરાણી
22 મી એ કોંગ્રેસ બાઈક રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપશે: ડાંગર

હેડ ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપરલીક થવાના મુદ્દા પર આજે રાજકોટ સહિત સંખ્યાબંધ શહેરોમાં કોંગ્રેસ દ્વારા ધરણા સહિતનાં કાર્યક્રમ આપીને જોરદાર આંદોલન કરવામાં આવ્યો હતો. રાજકોટ, ભરૂચ, પાટણ, હિંમતનગર સહિતનાં શહેરોમાં કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરોએ ધરણા કર્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

કોંગ્રેસે ગૌણ સેવા પસંદગી મંડળનાં ચેરમેન અસિત વોરાનાં રાજીનામાંની માંગણી કરી હતી.રાજકોટમાં ત્રિકોણબાગ ખાતે સવારથી શહેર કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરો ધરણા પર બેસી ગયા હતા અને દેખાવો કરી રહ્યા હતા ત્યાં મોટો પોલીસ કાફલો ધસી ગયો હતો.

સ્થળ પરથી શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદિપ ત્રિવેદી સહિત 23 આગેવાનોની પોલીસે અટકાયત કરી દીધી હતી. હવે આગામી તા.22 મી ડિસેમ્બરે રાજકોટ શહેરમાં કોંગ્રેસ દ્વારા આ મુદ્દા પર વિશાળ બાઈક રેલી યોજવામાં આવશે અને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે.

બેકાર યુવાનોની હાલાકીમાં વધારો કરવા બદલ અશોક ડાંગર, પ્રદિપ ત્રિવેદી અને મનપા વિપક્ષનાં નેતા ભાનુબેન સોરાણીએ ભાજપની રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

રાજ્યની ભાજપ સરકારની ઘોર બેદરકારી અને લાપરવાહીના કારણે ગુજરાતમાં વારંવાર રાજ્ય સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટી જવાની ઘટના સામાન્ય બની ગઈ છે હાલમાં જ હેડ ક્લાર્ક ની ભરતી માટેની પરીક્ષાનું પેપર લીક થયેલ છે જેના કારણે રાજ્યના લાખો બેરોજગાર યુવાનો હાલાકી અને અરાજકતાનો ભોગ બન્યા.

રાજ્યની ભાજપ સરકાર યુવાનોના પ્રશ્ર્નો અંગે અત્યંત અસંવેદનશીલ હોવાનો આ એક વધુ બોલતો પૂરાવો છે. પહેલેથી બેકારીનો ભોગ બનેલા રાજ્યના લાખો બેરોજગાર યુવાનોને પરીક્ષા આપવા જવાનો ખર્ચ, સમયનો દુર્વ્યય અને ભારે હાલાકી ભોગવવા પડ્યા.

બેરોજગાર યુવાનો માટે ઉપયોગી આયોજન કે નીતિ ઘડવાને બદલે તેમની હાલાકીમાં વધારો કરવાનું રાજ્યની ભાજપ સરકારનું આ પગલું અત્યંત નીંદનીય છે. હંમેશની જેમ રાજ્યની પ્રજાના પડખે રહેવાની તેમજ પ્રજાના પ્રશ્ર્નોને વાચા આપવાની નેમ સાથે કોંગ્રેસ પક્ષ સતત સક્રિય રહ્યો છે.

ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યની ભાજપ સરકારના આ અત્યંત ગંભીર અને ગુનાહિત છબરડા સામે તા.20 રોજ ત્રિકોણબાગ ખાતે ધરણા નો કાર્યક્રમ યોજાયો.

તેમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, મનપાના વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, ડો. હેમાંગભાઈ વસાવડા, દિનેશભાઈ મકવાણા, મનપાના પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઈસાગઠીયા, પ્રવીણભાઈ રાઠોડ,

દિપ્તીબેન સોલંકી, ગોપાલભાઈ અનડકટ, વશરામભાઈ ચાંડપા, કોર્પોરેટર કોમલબેન ભારાઈ, વોર્ડ પ્રમુખ અશોકભાઈ જોશી, કેતનભાઈ જરીયા, ગીરીશભાઈ ઘરસંડિયા, બીજલભાઈ ચાવડીયા, વાસુભાઈ ભંભાણી, નરેશભાઈ પરમાર, નારણભાઈ હીરપરા,

પૂર્વ કોર્પોરેટરો સંજયભાઈ અજુડિયા, નીલેશભાઈ મારું, ફ્રન્ટલસેલ નરેશભાઈ સાગઠીયા, હાર્દિક પરમાર, આશિષસિંહ વાઢેર, મુકેશભાઈ પરમાર, તેમજ આગેવાનો મનોજભાઈ ગેડિયા, રામભાઈ જીલરીયા, ઠાકરસીભાઈ ગજેરા, હર્ષદભાઈ વઘેરા, જલ્પેશભાઇ કલોલા,

જગદીશભાઈ સાગઠીયા, રવિભાઈ ડાંગર, સિકંદરભાઈ ડાકોરા, સુરેશભાઈ ગરેંયા, રોહિતભાઈ માલા, નાગજીભાઈ વિરાણી, ગોપાલભાઈ બોરાણા, ભરતભાઈ ગોંડલિયા, ગોપાલભાઈ મારવી, નીતિનભાઈ પાંચાણી,

Read About Weather here

હિરલબેન રાઠોડ સહિતના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અશોકભાઈ ડાંગર અને પ્રદીપભાઈ ત્રિવેદી સહીત 23 કોંગી આગેવાનોની પોલીસ દ્વારા અટક કરવામાં આવી હતી.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here