રાજકોટ લોહાણા મહાજન દ્વારા શ્રી રામકથાનું ભવ્યાતિભવ્ય આયોજન

રાજકોટ લોહાણા મહાજન દ્વારા શ્રી રામકથાનું ભવ્યાતિભવ્ય આયોજનપ
રાજકોટ લોહાણા મહાજન દ્વારા શ્રી રામકથાનું ભવ્યાતિભવ્ય આયોજનપ

રાજકોટ લોહાણા મહાજન દ્વારા શ્રી રામકથાનું અતિ ભવ્ય આયોજન કોર્પોરેટ ટચ સાથે યોજાનાર શ્રી રામકથામાં તા.21 મે થી 29 મે, 2022 દરમ્યાન શ્રી રામનગરી ચૌધરી હાઈસ્કુલ ખાતે હજારો લોકો ભક્તિરસમાં તરબોળ થશે. દિવસનાં અંતે કથાવિરામ બાદ દરરોજ પ્રસાદની વ્યવસ્થા કથામંડપમાં દરેક ભકતને મિનરલ વોટરની બોટલ અપાશે. તેમાં મુખ્ય વકતા તરીકે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના ધરાવનાર મુંબઈના શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યા શ્રી રામકથાનું રસપાન કરાવશે 15 હોલ તમામ ઉત્સવો ધામધૂમથી ઉજવાશે. શ્રી રામકથા માટે દાતાઓએ રીતસર દાનનો ધોધ વરસાવ્યો કોલ મુખ્ય યજમાન તરીકે શ્રી રાજકોટ લોહાણા મહાજનના પુર્વ પ્રમુખ સ્વ. જયંતિલાલ ગોવિંદજી કુંડલીયાના પરિવારજનો પૂણ્યનું ભાથું બાંધશે.સમગ્ર વિશ્ર્વમાં સૌથી મોટું લોહાણા મહાજન ગણાતા શ્રી રાજકોટ લોહાણા મહાજન દ્વારા તા.21 મે, 2022 થી 29 મે, 2022 દરમ્યાન શ્રી રામનગરી ચૌધરી હાઈસ્કુલ, રાજકોટ ખાતે શ્રી રામકથાનું અતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં મુખ્ય વકતા તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ખરૂં પ્રાપ્ત પૂજ્ય ભૂપેન્દ્રભાઈ પંડ્યા (મુંબઈ) વ્યાસાસને બિરાજશે અને ભાવિકોને શ્રી રામકથાનું રસપાન કરાવશેભવ્યાતિભવ્ય શ્રી રામકથાની વિગતો આપતા શ્રી રાજકોટ લોહાણા મહાજનનાં પ્રમુખ રાજુભાઈ પોબારૂ જણાવે છે કે, શ્રી રાજકોટ લોહાણા મહાજનનાં ઈતિહાસમાં પ્રથમ વખત શ્રી રામકથાનું આયોજન થઈ રહ્યું છે અને તે પણ કોર્પોરેટ ટચ સાથે શ્રી રામકથાનાં નવ દિવસ દરમ્યાન શ્રી રામનગરી ચૌધરી હાઈસ્કૂલ મેદાન રાજકોટ ખાતે હજારો લોકો ભક્તિરસમાં તરબોળ થશે અને દરરોજ દિવસના અંતે કથાવિરામ બાદ આકર્ષક મેનુ સાથે પ્રસાદની વ્યવસ્થા ‘રામરોટી પ્રસાદઘર’ માં રાખવામાં આવી છે. કથાનો સમય સાંજે 4:30 થી 8:30 સુધીનો હોય, આવનાર દરેક ભકતને કથામંડપમાં પીવા માટે મિનરલ વોટરની પણ આપવામાં આવનાર હોવાનું રાજુભાઈ પોબારૂએ જણાવ્યું હતું.ઉપરાંત કથા પ્રારંભ પોથી યાત્રાથી લઈ દરરોજ તમામ ઉત્સવો શ્રી રામ જન્મોત્સવ, સીતા-રામ વિવાહ, વનગમન, કેવટ પ્રસંગ, ભરત મિલાપ, હનુમાન પ્રાગટ્ય, સુંદરકાંડ-રામેશ્ર્વર પુજન, શ્રી રામ રાજ્યાભિષેક-કથાવિરામ વગેરે ખુબ ધામધુમથી ઉજવવાનું નક્કી કર્યું હોવાનું મહાજન પ્રમુખ જણાવે છે.

ઐતિહાસિક શ્રી રામકથા માટે દાતાઓએ પણ એક યા બીજી રીતે દાનનો રીતસર ધોધ વરસાવ્યો હોવાનું અને જે સતત ચાલુ જ હોવાનું રાજુભાઈ પોબારૂ અને ડો.નિશાંતભાઈ ચોટાઈ જણાવે છે.શ્રી રામકથાનાં મુખ્ય યજમાન તરીકે લોહાણા મહાપરીષદ અને શ્રી રાજકોટ લોહાણા મહાજનના પૂર્વ-પ્રમુખ, દાનવીર અને દીર્ઘદ્રષ્ટા સ્વ.જયંતિલાલ ગોવિંદજી કુંડલીયા, સ્વ.જસવંતીબેન કુંડલીયા તથા સ્વ.મીનાબેન કુંડલીયાના પરિવારજનો પવિત્ર વાતાવરણમાં પૂણ્યનું ભાથું બાંધશે.ઐતિહાસિક મહત્વ ધરાવતી શ્રી રામકથાના સુચારૂ અને સચોટ આયોજન માટે શ્રી રાજકોટ-લોહાણા મહાજનના હોદેદારો અને મહાજનના બંધારણનાં સલાહકારો પ્રમુખ રાજુભાઈ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઈ ચોટાઈ, મંત્રીઓ રીટાબેન કોટક અને ડો. હિમાંશુભાઈ ઠક્કર, ઓડીટર ધવલભાઈ ખખ્ખર, ટ્રસ્ટીઓ ડો.પરાગભાઈ દેવાણી, જીતુભાઈ ચંદારાણા, હરિશભાઈ લાખાણી, કિશોરભાઈ કોટક, હિરેનભાઈ ખખ્ખર, શ્યામલભાઈ સોનપાલ, મનિષભાઈ ખખ્ખર, તુષારભાઈ ગોકાણી, જતીનભાઈ કારીયા, દિનેશભાઈ બાવરીયા, ડો. આશીષભાઈ ગણાત્રા, શૈલેષભાઈ પાબારી, પ્રદિપભાઈ સચદે, યોગેશભાઈ જસાણી, ધવલભાઈ કારીયા, રીટાબેન કુંડલીયા, જયશ્રીબેન સેજપાલ, રંજનબેન પોપટ, વિધિબેન જટાણીયા, રાજકોટ કેળવણી મંડળના ઉપપ્રમુખ નવીનભાઈ ઠક્કર, પીઢ લોહાણા અગ્રણીઓ એ.ડી.રૂપારેલ અને હીરાભાઈ માણેક વિગેરે અગ્રણીઓએ અકિલાનાં મોભી અને જ્ઞાતિશ્રેષ્ઠી કિરીટભાઈ ગણાત્રાને મળીને મિટીંગ કરી હતી.

Read About Weather here

જેમાં અધ્યક્ષસ્થાનેથી આદરણીયશ્રી કિરિટભાઈ ગણાત્રાએ માર્ગદર્શન સાથે ઉપયોગી સુચનો આપ્યા હતા. જે તમામ સુચનો હાજર રહેલ લોહાણા અગ્રણીઓએ એક જ અવાજે સ્વીકારીને સહર્ષ વધાવી લીધા હતા અને શ્રી રામકથાના અલૌકિક આયોજનને સફળ બનાવવા ખાતરી આપી હતી. સાથે-સાથે રામકથાના તમામ દિવસો દરમ્યાન સમાજ શ્રેષ્ઠી અને મોભી તરીકે કિરીટભાઈ ગણાત્રાની હાજરી અનિવાર્ય-આવશ્યક હોવાનું તમામ અગ્રણીઓએ જણાવ્યું હતું. લોહાણા અગ્રણીઓની લાગણી અને આગ્રહનો શ્રી કિરીટભાઈ ગણાત્રાએ સહર્ષ સ્વીકાર કર્યો હતો. રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઈ ચોટાઈ, મંત્રીઓ રીટાબેન કોટક અને ડો.હિમાંશુભાઈ ઠકકર, ઓડીટર ધવલભાઈ ખખ્ખર, ટ્રસ્ટીઓ ડો. પરાગભાઈ દેવાણી, કિશોરભાઈ કોટક, હિરેનભાઈ ખખ્ખર, હરીશભાઈ લખાણી , જીતુભાઈ ચંદારાણા, તુષારભાઈ ગોકાણી, શ્યામલભાઈ સોનપાલ, મનિષભાઈ ખખ્ખર, જતિનભાઈ કારીયા, દિનેશભાઈ બાવરીયા, ડો. આશિષભાઈ ગણાત્રા, શૈલેષભાઈ પાબારી, પ્રદિપભાઈ સચદે, ધવલભાઈ કારીયા, દિપકભાઈ પોપટ, યોગેશભાઈ જસાણી, અલ્પાબેન બરછા, રંજનબેન પોપટ, જયશ્રીબેન સેજપાલ, રીટાબેન કુંડલીયા, વિધિબેન જટાણીયા, સહિતનાં તમામ મહાજન સભ્યો અને જ્ઞાતિ અગ્રણીઓ રામકથાના આયોજન માટે જહેમત ઉઠાવી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here