રાજકોટ મનપા દ્વારા રાજ્ય સરકાર સમક્ષ નર્મદા નીરની માંગણી

રાજકોટ મનપા દ્વારા રાજ્ય સરકાર સમક્ષ નર્મદા નીરની માંગણી
રાજકોટ મનપા દ્વારા રાજ્ય સરકાર સમક્ષ નર્મદા નીરની માંગણી

રાજકોટના ડેમોમાં પાણીનો જથ્થો નીચો જતાં મ્યુનિ. કમિશ્ર્નરે સરકારન્ો પત્ર લખ્યો
દૃૈનિક ઉપાડ મુજબ આજી ડેમ 31 માર્ચ સુધી સાથ આપે તેમ છે. જ્યારે ન્યારી ડેમમાં 1015 એમસીએફટી પાણી ઉપલબ્ધ
ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા નર્મદૃા પાઇપલાઇન દ્વારા રાજકોટને દૃૈનિક 125 એમએલડી નર્મદૃાનું પાણી આપવામાં આવે છે
રાજકોટવાસીઓને ચોમાસાની સિઝન સુધી નિયમિત 20 મિનિટ પાણી પૂરૂ પાડી શકાય તે માટે ડેમમાં 350 એમસીએફટી નર્મદૃાના નીર ઠાલવવા માંગણી કરવામાં આવી

રાજકોટની ભવિષ્યની પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખી મહાપાલિકા દ્વારા હાલ અલગ અલગ સ્થળોએ વોટર ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવી રહૃાા છે. રૈયાધાર વિસ્તારમાં 50 એમએલડી ની ક્ષમતાનો નવો ફિલ્ટર પ્લાન્ટ બનાવવાની કામગીરી હાલ પૂર્ણતાના આરે છે. આગામી મે માસમાં આ વોટર ફિલ્ટર પ્લાન્ટ શરૂ કરી દૃેવામાં આવશે. જેને ધ્યાનમાં રાખી કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર સમક્ષ નર્મદૃાની નીરની માંગણી કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

હાલ દૃૈનિક વિતરણ વ્યવસ્થા માટે ન્યારી ડેમમાંથી રોજ 70 એમએલડી પાણીનો ઉપાડ કરવામાં આવે છે. નવો ફિલ્ટર પ્લાન્ટ શરૂ થયા બાદૃ દૃૈનિક સરેરાશ 100 એમએલડી પાણીનો ઉપાડ કરવામાં આવશે.રાજકોટ શહેરમાં વધતી જતી વસ્તી અને વિસ્તારની સામે જળસ્ત્રોતની સંખ્યામાં કોઇ જ વધારો થયો નથી. રાજકોટની જીવાદૃોરી સમાન તમામ જળાશયો ચોમાસામાં સતત એક-એક મહિના સુધી ઓવરલો થતાં હોવા છતાં શિયાળાના અંતમાં અને ઉનાળાની શરૂઆતમાં જ ડેમ ખાલી થવાની અણી પર આવી જાય છે.

ત્યારે રાજકોટવાસીઓને રોજિંદૃા નિયમિત 20 મિનિટ પાણી પૂરું પાડી શકાય તે માટે મનપા કમિશનર અમિત અરોરાએ ફરી રાજ્ય સરકારને પત્ર લખી નર્મદૃા નીરની માગ કરી છે. આજી અને ન્યારી ડેમમાં 1050 એમસીએફટી નર્મદૃા નીરનો જથ્થો સૌની યોજનાથી આપવા રજૂઆત કરી છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટવાસીઓને રોજિંદૃા 20 મિનિટ પાણી મળી રહે તે માટે સૌની યોજના અંતર્ગત રાજકોટના આજી અને ન્યારી ડેમમાં 1050 એમસીએફટી નર્મદૃાનું નીર ફાળવવા માટે સરકારને પત્ર લખી માંગણી કરવામાં આવી છે.

મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ થોડા દિૃવસ પહેલા સરકારને પત્ર લખી નર્મદૃા નીરની માંગ પત્ર લખી કરી હતી. રાજકોટમાં શહેરીજનોને રોજિંદૃા 20 મિનિટ પાણી પૂરૂ પાડવા માટે દૃૈનિક 365 એમએલડી પાણીની આવશ્યકતા રહે છે. જેમાં આજી ડેમમાંથી રોજ 130 એમએલડી, ન્યારી ડેમમાંથી 70 એમએલડી અને ભાદૃર ડેમમાંથી 40 એમએલડી પાણી ઉપડવામાં આવે છે. ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા નર્મદૃા પાઇપલાઇન દ્વારા રાજકોટને દૃૈનિક 125 એમએલડી નર્મદૃાનું પાણી આપવામાં આવે છે.

હાલ આજી ડેમમાં 550 એમસીએફટી જળજથ્થો ઉપલબ્ધ છે. દૃૈનિક ઉપાડ મુજબ આજી ડેમ 31 માર્ચ સુધી સાથ આપે તેમ છે. જ્યારે ન્યારી ડેમમાં 1015 એમસીએફટી પાણી ઉપલબ્ધ છે. રૈયાધાર ખાતે 50 એમએલડી ક્ષમતાનો નવો ફીલ્ટર પ્લાન્ટ આગામી મે મહિના સુધીમાં કાર્યરત થઇ જશે તથા ન્યારી-1 ડેમના દૃરવાજાના સીલ બદૃલાવાની કામગીરી હાથ ધરવાની થતી હોય ડેમમાંથી રો-વોટરનો ઉપાડ વધી જશે. હાલ 70 એમએલડી ના બદૃલે 100 એમએલડી થવા પામશે. ન્યારી ડેમ 30 જૂન સુધી સાથ આપશે અને ત્યારબાદૃ માત્ર ડેમમાં 165 એમસીએફટી જથ્થો ઉપલબ્ધ રહેશે.

Read About Weather here

રાજકોટવાસીઓને ચોમાસાની સિઝન સુધી નિયમિત 20 મિનિટ પાણી પૂરૂ પાડી શકાય તે માટે ડેમમાં 350 એમસીએફટી નર્મદૃાના નીર ઠાલવવા માંગણી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આજી ડેમમાં 700 એમસીએફટી નર્મદૃાના નીર સૌની યોજના અંતર્ગત ઠાલવવાનું 1 માર્ચથી શરૂ કરી દૃેવામાં આવે જ્યારે ન્યારી ડેમમાં 350 એમસીએફટી નર્મદૃાનું પાણી 1 મેથી ઠાલવવાનું શરૂ કરવામાં આવે તે માટે માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શહેરની વસ્તી અને વિસ્તાર સતત વધી રહૃાો હોવાના કારણે હવે રાજકોટ સંપૂર્ણપણે નર્મદૃા પર નિર્ભર થઇ ગયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here