રાજકોટ પોલીસનો ભ્રષ્ટ્રાચાર ખુલ્લો પાડવા ગુરૂવારે કોંગ્રેસનો લોકદરબાર

રાજકોટ પોલીસનો ભ્રષ્ટ્રાચાર ખુલ્લો પાડવા ગુરૂવારે કોંગ્રેસનો લોકદરબાર
રાજકોટ પોલીસનો ભ્રષ્ટ્રાચાર ખુલ્લો પાડવા ગુરૂવારે કોંગ્રેસનો લોકદરબાર

ગુરૂવારે બપોરના 1 થી 5 સુધી રાજગુરૂ વાડી, નિલ સિટી કલબ, કાલાવાડ રોડ, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ગેઈટ પાસે, લોક-દરબારનું આયોજન: ઈન્દ્રનીલ રાજયગુરૂ, વશરામ સાગઠીયા,અતુલ રાજાણી, મિતુલ દોંગા

પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂ, રાજકોટ કોર્પોરેશનના વિરોધપક્ષના પૂર્વ નેતા વશરામભાઈ સાગઠીયા, કોર્પોરેશનના પૂર્વ વિપક્ષી નેતા અતુલ રાજાણી, કોંગી આગેવાન મિતુલ દોંગાએ રાજકોટની જનતાને રાજકોટ પોલીસનો ભ્રષ્ટ્રાચાર ખુલ્લો પાડવા લોક દરબારમાં આવવા અપીલ કરી છે અને આક્ષેપ કરતા જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટમાં છેલ્લા ત્રણ-ચાર વર્ષથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની ચિંથરા ઉડયા છે. રાજકોટ પોલીસ કોરોનાની કપરી હાલતમાં લોકો પાસેથી પૈસા પડાવવા અને એફઆરઆઈ કરવા સતાનો દુરઉપયોગ જ કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ પોલીસ કમિશ્નર ખૂદ હપ્તા વસુલતા હોવાની ફરિયાદો મળી છે તે જ ભાજપ સરકારની અગાઉની અને અત્યારની સરકારના ભ્રષ્ટ્રાચારને ખુલ્લો પાડે છે. પોલીસની દાદાગીરી અને સતાના ગેરઉપયોગનો ભોગ બનેલ લોકોને વાચા આપવા કોંગ્રેસે આગામી તા.10ને ગુરૂવારે બપોરના 1 થી 5 સુધી રાજગુરૂ વાડી, નિલ સિટી કલબ, કાલાવાડ રોડ, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ગેઈટ પાસે, લોક-દરબારનું આયોજન કર્યુ છે. પોલીસનો ભોગ બનેલા લોકોને આ લોક-દરબારમાં આવી વ્યથા ઠાલવવા અપીલ કરવામાં આવી છે.

રાજકોટમાં રક્ષક જ ભક્ષક બન્યા છે. રાજકોટના પોલીસ કમિશ્નર સામે વિજીલન્સની તપાસ કરવામાં આવે અને નિવૃત ન્યાયધિશ દ્વારા તેમની સંપતિ અને આવકની તપાસ કરવામાં આવે તેવી કોંગ્રેસના આગેવાનોએ માંગણી કરી છે.પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ રાજગુરૂ, રાજકોટ કોર્પોરેશનના વિરોધપક્ષના પૂર્વ નેતા વશરામભાઈ સાગઠીયા, કોર્પોરેશનના પૂર્વ વિપક્ષી નેતા અતુલ રાજાણી, કોંગી આગેવાન મિતુલ દોંગાએ રાજકોટની જનતાને રાજકોટ પોલીસનો ભ્રષ્ટ્રાચાર ખુલ્લો પાડવા લોક દરબારમાં આવવા અપીલ કરી છે જે લોકો માહિતી ગુપ્ત રાખવા માંગતા હોય તો તે જાહેર નહિ કરવામાં આવે તે માટે ભાનુભાઈ મો.નં. 94262 24612 પર સંર્પક કરી શકે છે.

Read About Weather here

રાજકોટ પોલીસે અગાઉની ભાજપ સરકારના પદાધિકારીઓનાં ખોટા કામ કરી પોતે અને પદાધિકારીઓને વ્હાલા થઈ લોકોને પરેશાન કરી ભ્રષ્ટ્રાચાર બેફામ આચર્યો છે. કોગ્રેસના આગેવાનોએ જણાવ્યુ છે કે જેમની પાસે લોકોની આશા અને અપેક્ષા છે એ રાજકોટ પોલીસ અને તેના વડા જ ભ્રષ્ટ્રાચારમાં ડુબેલા છે. લોકડાઉનમાં ઈ-મેમો ઉઘરાણા મારફત લોકો પર માનસિક ત્રાસ ગુજાર્યો હતો. લોકોની ઉઘરાણી પતાવવા કમિશ્નર લવાદ રહયા છે. મંડળીઓ પાસેથી પણ કરોડો રૂપિયા ઉઘરાવતા રહયા હોવાની ફરિયાદો મળી છે. ભાજપ ભ્રષ્ટ્રાચારી પોલીસ અધિકારીઓને છાવરે છે. ત્યારે રાજકોટના કોંગ્રેસના ઓવાનોએ પોલીસનો ભોગ બનેલા લોકો માટે લોકદરબારનું આયોજન કર્યુ છે. ભાજપના ભ્રષ્ટ્રાચાર સામે કોંગ્રેસ આગામી દિવસોમાં લડત ઉગ્ર બનાવશે. તેમ અખબારી યાદીમાં જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here