રાજકોટ: પતિએ પત્નીને બોથડ પદાર્થ ઝીંકી મોતને ઘાટ ઉતારી

રાજકોટ: પતિએ પત્નીને બોથડ પદાર્થ ઝીંકી મોતને ઘાટ ઉતારી
રાજકોટ: પતિએ પત્નીને બોથડ પદાર્થ ઝીંકી મોતને ઘાટ ઉતારી

પોલીસે આરોપી પતિની ધરપકડ કરી હત્યાનું ચોક્કસ કારણ શોધવા કાર્યવાહી હાથ ધરી: મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો

શહેરના બામણબોર ખાતે પત્ની સાથે અગમ્ય કારણોસર અણબનાવ થતા પતિએ બોથડ પદાર્થ ઝીંકી પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બામણબોરમાં દેવું જખાણીયા નામની મહિલાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર બનાવની જાણ પોલીસને થતાં એરપોર્ટ પોલીસ દ્વારા તાત્કાલીક અસરથી ઘટનાસ્થળે પહોંચી જરૂરી પંચનામાની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ પંચનામાની કાર્યવાહી પૂર્ણ થતાની સાથે જ પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

સમગ્ર મામલે મીડિયા સાથેની વાતચીતમાં એરપોર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જી.એમ.હડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, દેવીપૂજક શોભા જખાણીયાની હત્યા અન્ય કોઈએ નહિ પરંતુ તેના ખુદના જ પતિ દેવું જખાણીયા દ્વારા કરવામાં આવી છે. પોલીસ સ્ટાફ દ્વારા મૃતકના પરિવારજનોના નિવેદન નોંધવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ સમગ્ર મામલે મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે મૃતકના પતિ વિરૂધ્ધ આઇપીસીની કલમ 302ના આધારે ગુનો નોંધી તેને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા હાલ મૃતકના આરોપી પતિની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Read About Weather here

પોલીસની પ્રાથમિક તપાસમાં બંને પતિ-પત્ની વચ્ચે ઘણા સમયથી અણગમો રહેતો હોવાનું અને ઝઘડા થતાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકની હત્યા તેના પતિએ બોથડ પદાર્થ ઝીંકી હત્યા નિપજાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે એરપોર્ટ પોલીસ દ્વારા હત્યાના કામે વાપરવામાં આવેલ બોથડ પદાર્થ કબજે કરવામાં આવશે અને હત્યાનું ચોક્કસ કારણ શોધવા કાર્યવાહી હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here