કલેકટર અરૂણ મહેશ બાબુએ પોલીસ ગ્રાઉન્ડ ખાતે કર્યું પરેડ નિરીક્ષણ
26મી જાન્યુઆરીએ શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે થશે ધ્વજવંદન
કોરોના વોરિયર્સને પ્રિકોશન ડોઝ અને મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણનું આયોજન
શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીના અધ્યક્ષસ્થાને આગામી તા.26 જાન્યુઆરીના રોજ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી રાજકોટ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે.
Visit Saurashtra Kranti Homepage here
જેનું આજે કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને રીહર્શલ કરવામાં આવ્યું હતું.કલેકટર દ્વારા રીહર્શલમાં રાષ્ટ્ર ઘ્વજ ફરકાવી ઘ્વજને સલામી તેમજ પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પરેડ કમાન્ડર પી.આઈ. એન.એ. કોટડીયાના વડપણ હેઠળ કલેકટરે પરેડનું નિરીક્ષણ કર્યું હતું. પરેડમાં રાજકોટ સિટી, ગ્રામ્ય, મહિલા પોલીસ, સિટી ટ્રાફિક બ્રિગેડના જવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
26 મી જાન્યુઆરીના મંત્રી વાઘાણી દ્વારા થનારા ઉદબોધન તેમજ રાષ્ટ્રગાન કાર્યક્રમ બાદ કોરોના વોરિયર્સને પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. મંત્રી તથા મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ સાથે કાર્યક્રમ સંપન્ન થશે.
Read About Weather here
રીહર્શલ અન્વયે અધિક નિવાસી કલેકટર કે.બી. ઠક્કર, પ્રાંત અધિકારીઓ, મામલદારઓ સહીત વહીવટી વિભાગના કર્મચારી તેમજ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here