સેન્ટ્રલ ૠજઝની ડાયરેક્ટરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ (ઉૠૠઈં)ની ટીમે રાજકોટમાં ત્રણ દિવસ સુધી દરોડાનો દૌર ચલાવીને યુરીયા ખાતરનાં કાળા બજારનાં કરોડોનાં બોગસ વ્યવહારો પકડી પાડ્યા છે. આ કૌભાંડમાં બે શખસની ધરપકડ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં આશરે 6થી 7 પેઢીમાં તપાસ હાથ ધરવામાં આવતા અંદાજિત રૂ.16 કરોડથી વધુ રકમની કરચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
તેમજ 90 કરોડના બોગસ વ્યવહારનું કૌભાંડ પણ બહાર આવ્યું છે. દિલ્હીથી મળેલા આદેશો બાદ ઉૠૠઈંની ટીમે રાજકોટમાં અલગ અલગ સ્થળોએ દરોડા પાડી યુરીયાના વેચાણના બોગસ વ્યવહારો ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન ફિઝીકલ વ્યવહારો થયા ન હતા. માત્ર કાગળ પર કરોડોનાં વ્યવહારો બહાર આવ્યા હતા. જેમાં જુદી જુદી પેઢીઓ દ્વારા આશરે 90 કરોડનાં બોગસ વ્યવહારો કરી અંદાજે 16 કરોડની કરચોરી કરવામાં આવી હતી.
છેલ્લા કેટલાક સમયથી યુરીયાના કાળા બજારનું મોટું કૌભાંડ દેશના અલગ અલગ સ્થળોએ ચાલી રહ્યું હોવાની ફરિયાદોનાં પગલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. યુરીયા ખાતરનો ખેડૂતો ઉપયોગ કરે તેના પર અઢી ટકા અને ઉદ્યોગોના વપરાશ પર આશરે 18 ટકા ટેક્સ લેવામાં આવતો હોય છે. જુદી જુદી પેઢીનાં હિસાબી સાહિત્ય અને ડિજીટલ ડોક્યુમેન્ટ કબ્જે કરી તપાસ હાથ ધરવામાં આવી છે.
Read About Weather here
રાજકોટમાં દરોડા દરમિયાન બિન હિસાબી આશરે રૂ.2 કરોડની રોકડ રકમ પણ કબ્જે કરવામાં આવી હોવાનું સુત્રોએ જણાંવ્યુ હતું. યુરીયાના કરોડોના બોગસ વ્યવહારોના કૌભાંડમાં બે શખ્સની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના અન્ય શહેરોમાં પણ યુરીયાનાં કૌભાંડમાં તપાસનો દૌર લંબાયો હોય કરચોરીનો આંકડો વધશે તેવા સંકેતો મળી રહ્યા છે. રાજકોટમાં પણ છેલ્લા એકાદ વર્ષથી આ પ્રકારનાં બોગસ વ્યવહારો કરવામાં આવી રહ્યા હોવાનું તપાસમાં સામે આવ્યુ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here