પરિવારજનોની તપાસમાં ખુલતી વિગતો સતત તનાવમાં રહેતો હોવાનું જાહેર, વધુ તપાસ ચાલુ
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ અયોધ્યા ચોક નજીક શિવસાગર એપાર્ટમેન્ટમાં રહેતા પરેશભાઈ જોશી નામના પ્રૌઢે 12 બોરના જોટામાંથી ફાયરિંગ કરી આત્મહત્યા કરી લીધાની ઘટના સામે આવી છે. પોલીસ તપાસમાં પરેશભાઈ ડિપ્રેશનમાં રહેતા હોવાનું ખુલ્યું છે. દાઢી નીચે 12 બોરના જોટાને રાખી ફાયરિંગ કરતા ખોપરી સુધી ચીરા પડી ગયા હતા. બનાવના પગલે યુનિવર્સિટી પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
Read Saurashtra Kranti E-Paper here
પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર અયોધ્યાચોક નજીક આવેલા શિવ સાગર એપાર્ટમેન્ટના બીજા માળે રહેતા પરેશભાઈ ગોરધનભાઈ જોશી (ઉં.વ.51) નામના પ્રૌઢે પોતાની 12 બોર જોટાવાળી બંદૂકથી દાઢીના ભાગે નીચે ભડાકો કરી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
Read About Weather here
પોલીસની તપાસમાં મૃતક સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હોવાનું અને ડિપ્રેશનમાં રહેતા પોતાની પાસે રહેલી 12 બોરની જોટાવાળી બંદૂકથી દાઢીના નીચેના ભાગે ગોળી મારી લેતા મોઢાથી ખોપરીના ભાગ સુધી ચીરા થઈ જતા કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here