રાજકોટમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી

રાજકોટમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી
રાજકોટમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી


કોરોનાની તમામ ગાઇડલાઇન્સના પાલન સાથે રથયાત્રા નીકળી: રથયાત્રાના બે કિલોમીટરના રૂટ પર દુકાનો બંધ રાખી કર્ફ્યુનો અમલ કરાયો

આજે શહેરના નાનામવા રોડ પર આવેલા કૈલાસધામ આશ્રમ ખાતે સોમવારે સવારે 7.30 કલાકે મંગળા આરતી બાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. આ મંગળા આરતીમાં રાજકોટના મહારાજા માંધાતાસિંહ, મેયર ડો. પ્રદીપ ડવ, ભાજપના અગ્રણી નીતિન ભારદ્વાજ, કમલેશ મીરાણી તમામ ધારાસભ્ય ગોવિદ પટેલ ,હિન્દૂ સંગઠનો, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરાએ ભગવાનની આરતી કરી હતી.

Subscribe Saurashtra Kranti here

રાજકોટ આજે અષાઢી બીજે શહેરમાં કોરોનાની ગાઈડલાઈન સાથે અને ટૂંકા રૂટની રથયાત્રા નીકળી છે. ગઈકાલે કૈલાસધામ આશ્રમ ખાતે ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને બહેન સુભદ્રાજીની આંખે પટ્ટી બાંધી નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી.

આ વિધિ રથયાત્રા નીકળવાના એક દિવસ પહેલા કરવામાં આવે છે. અષાઢી બીજના દિવસે ભગવાનને આંખેથી પટ્ટી ખોલવામાં આવે છે. આજે શહેરના નાનામવા રોડ પર આવેલા કૈલાસધામ આશ્રમ ખાતે સોમવારે સવારે 7.30 કલાકે મંગળા આરતી બાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી.

રથયાત્રા દરમિયાન કૈલાસધામ આશ્રમના મંદિરના મુખ્ય સ્વામી ત્યાગી મોહનદાસજી ગુરુ રામકિશોરદાસજી જણાવે છે કે, કોરોનાને લીધે આ વખતે અયોધ્યા, સોમનાથ, અને બહેન શુભદ્રાના નાગનેશ સહીતથી 25થી 30 સાધુ સંતો જ ને નવા વાઘા સાથે જોડવામાં આવ્યા છે.

રથયાત્રાના રૂટની વાત કરીએ તો નિજ ઘેલા પાટા ખોલારો મંદિરથી મોકાજી સર્કલ, રૂડા તરફ્ના રોડ પર મક્તો ધન્ય થશે. પાર્ટી પ્લોટવાળી શેરીમાંથી શાસ્ત્રીનગર ગેઇટ કે મંગળા આરતી અને ત્યાંથી મંદિરે પહોચી પૂર્ણ કરાઇ હતી. ગયા વર્ષે ભગવાન જગદીશ સહિત બહેન સુભદ્રા અને મોટા ભાઈ બળભદ્રને મંદિર પરિસરમાં જ પ્રદક્ષિણા કરાવવામાં આવી હતી.

હાલ કોરોનાને કારણે રથયાત્રાનો રૂટ મંદિર નજીક જ 2 કિ.મીમાં જ રખાયો હતો. માર્યાદિત લોકોની હાજરીમાં જ ત્રણ રથમાં ભગવાન નગરચર્યાએ નીકળ્યા હતા. આજે મંદિરે રથયાત્રા પરત ફર્યા બાદ આખો દિવસ ભાવિકો માટે ભગવાનના દર્શન ખુલ્લા રાખવામાં આવશે.

રથયાત્રાના બે કિલોમીટરના રૂટ પર દુકાનો બંધ રાખી કર્ફ્યુનો અમલ કરવામાં આવ્યો છે.આ કર્ફયુ સવારે 8થી 11 વાગ્યા સુધી અમલમાં રહેશે. રથયાત્રામાં નિર્ધારિત ભાવિકો જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે દર વર્ષે 19 કી.મી.ની નીકળતી રથયાત્રા આજે 2 કી.મી.માં જ પૂર્ણ થઇ હતી. રાજકોટમાં છેલ્લા 13 વર્ષથી રાજકોટના નાના મવા ગામથી ભગવાનની યાત્રા નીકળે છે.જ્યાં હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોરોનાની તમામ ગાઇડલાઇન્સના પાલન સાથે રથયાત્રા નીકળી હતી.

Read About Weather here

સૌથી આગળ પોલીસનાં વાહનો બાદમાં રથની આગળ એક વાહન મંદિરનું અને પછી ત્રણ રથ પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here