રાજકોટના રેતીકાંડનો રાજા કોણ??

રાજકોટના રેતીકાંડનો રાજા કોણ??
રાજકોટના રેતીકાંડનો રાજા કોણ??

દરીયો બન્યો રઘવાયો, જોઇ તને એ મલકાયો, રેતી સાથે એ ઘુઘવાયો, ભીજવવા તને એ હરખાયો
કથિત ચર્ચાતા તોડકાંડ બાદ કોન્સ્ટેબલનો રેતીકાંડ સામે આવે તેવી શક્યતાઓ
અગાઉ સોપારી કાંડમાં ફસાયેલા કોન્સ્ટેબલે રેતીકાંડમાં હાથ અજમાવ્યો!?

હાલમાં રાજકોટ શહેરનું વાતાવરણ કંઇક બદલાઇ ગયું છે. કારણ કે બનાવો જ એવા સામે આવી રહ્યા છે. હાલમાં ઠંડી ધીમે ધીમે સાવ ઓછી થઇ રહી છે. પરંતુ વાતો જ એવી બહાર આવી રહી છે કે સારા સારાને ફરી ઠંડી ચડી જાય તેમ છે. શહેરમાં કથિત તોડકાંડમાં દિવસે દિવસે નવા નવા નામો સામે આવી રહ્યા છે. તે હજુ પરીપુર્ણ થયું નથી ત્યાં વધુ એક કાંડ બહાર આવવાની શક્યતાઓ છે.

Visit Saurashtra Kranti Homepage here

શહેરમાં કથિત તોડકાંડના આક્ષેપો બાદ વધુ એક રેતીકાંડની વાત આવતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.શહેરમાં એક સ્ટેશનમાં થોડા સમય પહેલા ફરજ બજાવનાર અને હાલમાં એક શાખામાં ફરજ બજાવનાર એક કોન્સ્ટેબલનું નામ રેતીકાંડમાં ચર્ચાતા અનેક તર્ક વિર્તકો સર્જયા છે. આ કોન્સ્ટેબલ અગાઉ પણ સોપારી કાંડમાં નામ બહાર આવેલ હતું. સોપારી કાંડ બાદ આ મહાનુભાવે રેતી કાંડમાં પણ હાથ અજમાવ્યો છે. આગામી દિવસોમાં આ રેતીકાંડની વધુ વિગત ફુટીને સામે આવે તો નવાઇ નહીં. કારણકે અત્યારે શહેરભરમાં એક ચર્ચા થઇ રહી છે કે આ રેતી કાંડનો રાજા છે કોણ??

રેતીકાંડની ચર્ચાઓ થતા તેની સાજે જોડાયેલ તમામની નિંદર હરામ થઇ ગઇ છે કારણ કે આગામી દિવસોમાં જો નામ બહાર આવશે તો ન થવાનું થશે?! પોતાના કામનો ઢાકી પિછોડો કરવાનો પણ શરૂ કરી દીધો છે.જો આપણે એક રીતે જોઇએ તો રાજકોટ હોય કે અન્ય કોઈપણ શહેર નાગરિકોની આંતરિક સુરક્ષા માટે પોલીસતંત્રની કામગીરી અત્યંત મહત્વની હોય છે.

જે રીતે દેશની સરહદો પર પહેરો ભરતા જવાનોની કામગીરી આપણને સુરક્ષિત રાખે છે એ જ પ્રકારે આપણી આંતરિક સુરક્ષા અને અપરાધીઓથી બચવા માટે પોલીસદળની કામગીરી નાગરિક સુરક્ષા માટે અતિ જરૂરી અને આવશ્યક હોય છે. ત્યારે જો કાયદો અને વ્યવસ્થાનાં પાલક એવા દળમાં કોઈપણ પ્રકારની નાની એવી ખરાબી કે ખામી પણ આંતરિક સુરક્ષાને ખતરામાં મૂકી શકે છે અને અપરાધખોરીને મોકળું મેદાન મળી શકે છે. એટલે સુરક્ષા વિશેયક કામગીરી માટે અત્યંત મહત્વનું અંગ ગણાતા પોલીસતંત્રમાં કોઈપણ પ્રકારની ફરજચૂક, ગોટાળા- ગડબડ કે ગેરરીતિઓ જરાય નજર અંદાજ કરી શકાય નહીં.

Read About Weather here

આગામી દિવસોમાં જો રેતીકાંડના પુરાવા સામે આવે અથવા તો કોઇ મૌન તોડે તો ઉચ્ચ અધિકારીઓ દ્વારા શું પગલા લેવામાં આવશે કે છાવરવાનો પ્રયાસ કરવામાં આવશે તે લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. આવા કાંડ થવા પાછળનું કારણ શું અથવા તો કોનું પિઠબળ મળતું હશે તે પણ તપાસનો વિષય ગણી શકાય.(4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here