રાજકોટ:દિવ્યાંગો માટે ત્રિ-દિવસીય ફૂટ કેમ્પ યોજાશે

રાજકોટ:દિવ્યાંગો માટે ત્રિ-દિવસીય ફૂટ કેમ્પ યોજાશે
રાજકોટ:દિવ્યાંગો માટે ત્રિ-દિવસીય ફૂટ કેમ્પ યોજાશે

કેમ્પનો લાભ લેવા ઈચ્છતા દર્દીઓએ ઓળખપત્ર અને ડોક્ટરનું સર્ટી સાથે રૂબરૂ સ્થળ પર પહોંચવા અનુરોધ

સાંસ્કૃતિક, સામાજિક અને તબીબીક્ષેત્રમાં અગ્રેસર રહેનાર સરગમ ક્લબ શહેરમાં જયપુર ફૂટકેમ્પના રૂપમાં વધુ એક સેવાકેન્દ્ર ચલાવી રહેલ છે. સરગમ ક્લબ અને કમાણી ફાઉન્ડેશનનાં સયુંકત ઉપક્રમે તા.1/9 બુધવારથી 3/9 સુધી આ જયપુર કેમ્પ યોજાશે.

Visit Saurashtra Kranti Homepage here

કેમ્પનો લાભ લેવા ઈચ્છતા દર્દીઓએ પોતાના ફોટોવાળુ સરકાર માન્ય ઓળખપત્ર આધાર કાર્ડ અને ડોક્ટરનું વિકલાંગ સર્ટીફીકેટની ઝેરોક્ષ સાથે લાવવાની રહેશે.

સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના જણાવ્યા અનુસાર, આ કેમ્પમાં જરૂરતમંદોને વિનામૂલ્ય કૃત્રિમ પગ બેસાડવામાં આવે છે. સાથોસાથ કેલીપર્સ અને ઘોડી વગેરે વિનામૂલ્ય આપવામાં આવશે.

આ ફૂટ કેમ્પનો લાભ લેવા ઈચ્છતા લોકોને તા. 1/9 ને બુધવાર ના રોજ સવારે 8:30 કલાકે સરગમભવન, જામટાવરરોડ, નવી કલેકટર કચેરીની બાજુમાં, રાજકોટ. ખાતે દર્દીઓએ પોતાનું ઓળખપત્ર અને ડોક્ટરનાં સર્ટીફીકેટની ઝેરોક્ષ સાથે રૂબરૂ હાજર રહેવા જણાવાયું છે.

Read About Weather here

આ ઉપરાંત જે લોકો અગાઉ સાધનો લઈ ગયા છે અને તેઓને રીપેરીંગ કરાવવાનું હોઈ તેઓએ પણ તા. 1/9 ના રોજ સવારે 8:30 એ ખાસ ઉપસ્થિત રહેવું. આ કેમ્પ ત્રણ દિવસ ચાલશે પણ દર્દીઓએ ખાસ તા. 1/9 ના રોજ સવારે 8:30 કલાકે રૂબરૂ આવી જવું અને નામ નોંધાવી દેવા અનુરોધ કરાયો છે.(૬.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here