આ ઘટના મંગળવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ બની હતી. બનાવ અંગે ઉમરા પોલીસને કોલ મળ્યો હતો. સુરતના ઘોડદોડ રોડની આચમન સોસાયટીમાં શ્વાન લઈને નીકળેલા 11 વર્ષના માસુમ બાળકને વગર વાંકે એક સ્થાનિકે દાદાગીરી કરી માર માર્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
સોસાયટીમાં રહેતા વિરદેવસિંહ નવલસિંહ સરવૈયા (40)ને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો હતો.
આ અંગે પોલીસે જણાવ્યું કે, સોસાયટીમાં નાના બાળકો રમતા હતા. જેથી વિરદેવસિંહએ રમવાની ના પાડી હતી. આથી ગુસ્સામાં તેણે શ્વાન લઈને આવેલા એક 11 વર્ષના બાળકને વગર વાંકે કાન અમળીને જમીન પર પાડી દઈ માર માર્યો હતો.
બાળકને મારવાની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. મળતી માહિતી મુજબ, વિરદેવસિંહનો ભાઈ સરકારી ઓફિસર હોવાની વાત સામે આવી છે. જો કે આ બાબતે પોલીસે સત્તાવાર કોઈ સમર્થન આપ્યું નથી.
Read About Weather here
ઉમરા પોલીસે મોડીરાતે વિરદેવસિંહ સામે અટકાયતી પગલાં ભરી છોડી મુકવામાં આવ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here