રવિવારે રાજકોટમાં વિરાટ ધર્મસંમેલન

રવિવારે રાજકોટમાં વિરાટ ધર્મસંમેલન
રવિવારે રાજકોટમાં વિરાટ ધર્મસંમેલન

અખિલ ભારતીય સંત સમિતિ, ગુજરાત પ્રદેશ અને હિન્દુ ધર્મ સેના રાજકોટ દ્વારા
‘સૌરાષ્ટ્ર ક્રાંતી’ કાર્યાલયની મુલાકાતે પધારેલા પ.પુ.શ્રી ભક્તિ સ્વામીજી, પ.પુ.શ્રી માધવપ્રીય સ્વામીજી, ડી.વી.રાણા (પીન્ટુભાઇ-ખાટડી), વિક્રમ શિયાળ સહિતના મહાનુભાવોએ રાજકોટ ખાતે યોજાનાર વિરાટ ધર્મસંમેલન અંગેની વિસ્તૃત માહિતી આપી હતી.
હિન્દુ ધર્મ સેનાના પ્રમુખ ડિ.વિ.રાણા (પિંટુભાઇ ખાટડી), મહામંત્રી વિક્રમ શિયાળ તેમજ સમગ્ર ટીમ કાર્યક્રમનું સંચાલન કરશે: 13મીએ રેસકોર્ષ ગ્રાઉન્ડમાં વિરાટ ધર્મ સંમેલન-શાકોત્સવ, હિન્દુ ધર્મ સેના લોન્ચિંગ તેમજ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના જન્મોત્સવની ભવ્ય ઉજવણી
ધર્મસંમેલન, શાકોત્સવ તેમજ સી.આર.પાટીલના જન્મોત્સવમાં પધારવા અઢારેય વરણના ધર્મપ્રેમી લોકોને ઉમટી પડવા અનુરોધ
દેશના 137 મત પંથ અને સંપ્રદાયના સંતો મહંતો એક મંચ પર બિરાજમાન થશે
પ.પૂ.શા.શ્રી ભક્તિ પ્રકાશદાશજી સ્વામી-ખીરસરા અને પ.પૂ.શા.
શ્રી ગોપાલચરણદાસજી સ્વામી પાનોલી દ્વારા સભાનું સંચાલન કરશે
કિર્તીદાન ગઢવી, સાંઇરામ દવે, ધીરૂભાઇ સરવૈયા, ઓસમાણ મીર, રાજભા ગઢવી, બ્રિજરાજદાન ગઢવી, હેમંત ચૌહાણ, દેવાયત ખવડ સહિતના કલાકારો ઉપસ્થિત રહેશે

અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરીત હિન્દુ ધર્મ સેના રાજકોટ દ્વારા આગામી રવિવારના રોજ રેસકોર્ષ ગ્રાઉન્ડ (ફનવર્લ્ડ પાસે) વિરાટ ધર્મસંમેલન- શાકોત્સવ તેમજ હિન્દુધર્મ સેના લોન્ચીંગ તેમજ સી. આર. પાટીલના જન્મોત્સવ ની ભવ્ય રીતે ઉજવણીનું આયોજન રાખેલ છે. જેમા ગુજરાતના સંતો મહંતો મહામંડલેશ્ર્વરોની હાજરી રહેશે. જેમા પ.પૂ. આચાર્ય શ્રી અવિચલદાસજી મહારાજ (અ.ભા.સ.સ) રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી, પ.પૂ. શ્રી નૌતમ સ્વામીજી (અ.ભા.સ.સ) ગુજરાત પ્રદેશ અધ્યક્ષ-વડતાલ વિશેષ ઉપસ્થિતિ સી. આર. પાટીલની રહેશે. જેમા પ્રદેશ ભાજપ અધ્યક્ષના 67 મા જન્મદિવસ નિમિતે સવિશેષ હાજર રહી સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરશે . માજી મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી વિશેષ ઉપસ્થિત રહેશે જેમા સંતો શ્રી પ.પૂ.સ્વામી જીતેન્દ્રનંદ સરસ્વતીજી (રાષ્ટ્રીય મહામંત્રી અ.ભા.સ.સ ) પ.પૂ. શ્રી ભરવાડ સમાજના રામબાપુ

Visit Saurashtra Kranti Homepage here

(બાવળીયાળી), પ.પૂ. મુકતાનંદબાપુ (ચાપરડા), પ.પૂ. ધર્મભૂષણ સંત શ્રી રાજેન્દ્રદાસ બાપુ (નકલંગ ધામ તોરણીયા), પ.પૂ. સંત શ્રી યતિબ્રહ્મદેવજી (મહંત શ્રી ગુરૂદત મઠ કુવાડવા), પ.પૂ. મહામંડલેશ્ર્વર 1008 શ્રી નરેન્દ્રબાપુ (આપાગીગા ઓટલો ચોટીલા), પ.પૂ. મહામંડલેશ્ર્વર કનીરામ બાપુ (રબારી સમાજ ધર્મ ગુરૂ- બુધરેજ), શ્રી ભયલુ બાપુ (વિષામણ બાપુની જગ્યા-પળિયાદ), પ.પૂ. મહંત ત્યાગી મનમોનદાસજી (મહામંત્રી શ્રી અ.ભા.સ.સ રાજકોટ), પ.પૂ. મહંત શ્રી મોહનદાસજી મહારાજ (સાઇધામ મંદિર અ.ભા.સ.સ ગુજરાત ઉપાધ્યક્ષ), પ.પૂ. મહામંડલેશ્ર્વર 1008 મહંતશ્રી રમજુ બાપુ (નવા સાંગણા), પ.પૂ. મહંત શ્રી રામચંદ્રદાસજી મહારાજ (ભાવનગર, ડાકો). હિન્દુ ધર્મના લોકોને સંગઠીત કરવા રાષ્ટ્ર રક્ષા, ધર્મ રક્ષા, ગૌ ગંગા રક્ષા તથા સંસ્કૃતિ પરંપરાને જીવંત કરવા સમગ્ર ગુજરાતમાં સંતો દ્વારા આવા જન જાગરણરૂપી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતના 137 મતપંથ અને સંપ્રદાયના સંતો મહંતો એક મંચ પર બિરજમાન થશે.

Read About Weather here

આ સમગ્ર કાર્યકર્મ હિન્દુ ધર્મ સેના-રાજકોટ મહાનગરના નવ નિયુકત પ્રમુખ એવા ડિ.વિ.રાણા (પિંટુભાઇ ખાટડી) તથા મહામંત્રી વિક્રમભાઇ શિયાળીયાને પદાધિકારી તરીકે નિયુકત કરવામાં આવ્યા જેઓ તેમજ સમગ્ર ટીમ આ પ્રોગ્રામનુ સંચાલન કરશે. આ સમગ્ર કાર્યક્રમ પ.પૂ. માધવપ્રિય સ્વામી (સંરક્ષક શ્રી હિન્દુ ધર્મ સેના ગુજરાત પ્રદેશ), 5.પૂ. ભકિતસ્વામી (અ.ભા.સ.સ રાજકોટ જીલ્લાપ્રમુખ) તથા પ.પૂ. શ્યામ સુંદર સ્વામી ભોજપરા દ્વારા માર્ગદર્શન પુરૂ પાડી રહ્યા છે. આ વિરાટ ધર્મ સંમેલન શાકોત્સવ તેમજ સી.આર. પાટીલના જન્મોત્સવમાં પધારવા અઢારેય વરણના ધર્મપ્રેમી લોકોને લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here