‘સૌરાષ્ટ્ર ક્રાંતી’ કાર્યાલયની મુલાકાતે પધારેલા ચંદુભા પરમારએ જણાવ્યું હતું કે, રાજકોટ ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાન, સમાજ શ્રેષ્ઠી, દાતાશ્રી, સ્વ.શ્રી બેચરભા પાંચાભા પરમારની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે મહારકતદાન કેમ્પ, ભવ્ય સંતવાણી-લોકડાયરો તથા મેડિકલ સાધન સેવા કેન્દ્રનું લોકાર્પણ કરાશે. તા.1-5 રવિવાર ના રોજ સાંજે 4 થી 7 મહારક્તદાન કેમ્પનું આયોજન બેડીપરા રાજપૂત સમાજ વાડી, 5-15 રણછોડનગર, ખાતે રાખેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
તા.2-5 સોમવારના રોજ સમય રાત્રે 9 થી 2 કલાકે ભવ્ય સંતવાણી-લોકડાયરો શિવશક્તિ પાર્ટી પ્લોટ, જામનગર રોડ, રેડીયો સ્ટેશન સામે, રાખેલ છે. જેમાં નામી કલાકારો અનુભા ગઢવી, હરેશદાન ગઢવી, પુનમબેન ગોંડલીયા, વિવેક સાંચલા, મહેશસિંહ સોલંકી તથા તેજસ શીશાંગીયા વાજીંદા અને સાજીંદા સાથે ઉપસ્થિત રહેશે. બેચરભા પાંચાભા પરમાર તથા શ્રી વિજયાબા બેચરભા પરમાર ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટ દ્વારા વતન બાધી ખાતે તા.2-5 સોમવારના રોજ મેડિકલ સાધન સેવા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવશે.
Read About Weather here
આ મેડિકલ સાધન સેવા કેન્દ્રનો લાભ વિનામૂલ્યે સર્વે ધર્મ-જાતિના લોકોને ઉપયોગ કરવા મળશે. સ્વ.શ્રી બેચરભા પાંચાભા પરમારની પ્રથમ વાર્ષીક પુણ્યતિથી નિમીતે મહારકતદાન કેમ્પ તથા ભવ્ય સંતવાણી લોક ડાયરો તથા મેડિકલ સાધન સેવા કેન્દ્રનું લોકાર્પણના કાર્યક્રમમાં પધારવા ભાવભર્યું આમંત્રણ ચંદુભા પરમાર (ક્ષત્રિય રાજપૂત સમાજ અગ્રણી) અને હરેશસિંહ પરમાર તથા પાંચાભા પરમાર પરિવાર તથા પરમાર રાજપૂત પરિવાર દ્વારા સર્વે ક્ષત્રિય રાજપૂત સમાજ, સગા સ્નેહી, મિત્રો તથા સર્વ સમાજના ભાઇ-બહેનોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here