ગતરોજ સાંજના સમયે અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ માયાનગર સ્થિત ડી.પી.મોબાઈલ શોપમાં કારીગર મોબાઈલ રિપેરિંગ કરી રહ્યો હતો તેણે મોંઘીઘાટ કંપનીનો ફોન આગળના ભાગે મૂક્યો હતો. અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ માયાનગર સ્થિત એક મોબાઈલ શોપમાં મોબાઈલના રીપેરીંગ સમયે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી.
Visit Saurashtra Kranti Homepage here
મોબાઈલની બેટરી ફૂલી ગઈ હોવાના કારણે બ્લાસ્ટ સાથે આગની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. સદનસીબે આગ સમયે મોબાઈલ કારીગરથી દૂર પડ્યો હોવાના કારણે ઈજા પહોંચી ન હતી. સમગ્ર બનાવ દુકાનના CCTVમાં કેદ થયો હતો.તે દરમિયાન અચાનક બેટરી ફૂલી ગયા બાદ બ્લાસ્ટ સાથે સળગી ઉઠ્યો હતો.
મોબાઈલમાં આગ લાગતાં જ કારીગર દુકાન બહાર નીકળી ગયો હતો. જો કે મોબાઈલ ફોનની આગની ઘટનામાં કોઈને જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. જો મોબાઈલ વ્યકિતના ખિસ્સામાં હોત તો?મોબાઈલમાં જે આગનો વીડિયો સામે આવ્યો છે તેને જોતા જો મોબાઈલ કોઈ વ્યકિતના ખિસ્સામાં હોત તો વ્યકિતને ગંભીર ઈજા પહોંચવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.
Read About Weather here
મોબાઈલ શોપમાં પણ કારીગરથી દૂર ટેબલ પર મોબાઈલ પડ્યો હોવાના કારણે સદનસીબે ઈજા થઈ ન હતી.આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.ત્યારે આ મોબાઈલની દુકાનમાં અગાઉ પણ બે-ત્રણ વાર મોબાઈલ ફોનમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here