ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી અને સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાન ચેતનભાઇ રામાણીએ ગુજરાતના પનોતા પુત્ર એવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ કેન્દ્રમાં સ્થાપિત ભારતીય જનતા પાર્ટીની સરકારના 8 વર્ષ પૂર્ણ થયા તે બદલ શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, મોદી સરકાર હંમેશને માટે ‘વિકાસ’ની આગ્રહી રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
તેઓ ગુજરાતના મુખ્યપ્રઘાન હતા ત્યારે પણ ‘ગતીશીલ ગુજરાત’નું સૂત્ર આપી ગુજરાતના વિકાસને વેગવંતો બનાવ્યો હતો. ત્યારબાદ કેન્દ્રમાં વડાપ્રઘાનપદ પર આરૂઢ થયા ત્યારે ‘સબકા સાથ સબકા વિકાસ’ના સૂત્ર સાથે દેશના તમામ લોકો, તમામ પાર્ટીઓ, તમામ નેતાઓને સાથે રાખી કેટલાય અશક્ય નિર્ણયો લઇ ઇતિહાસ રચી બતાવામાં સફળ રહ્યા છે. તેમની દુરંદેશીથી આઠ વર્ષમાં વિકાસનો અભૂતપૂર્વ અધ્યાય લખ્યો છે.
Read About Weather here
દુનિયાને ‘નવા ભારત’ના દર્શન કરાવ્યા અને કપરાકાળમાં ‘આત્મનિર્ભર ભારત’નો સંકલ્પ લેવડાવી તમામ ક્ષેત્રોને અગ્રેસર રાખવાનો પાયો નાખ્યો હતો. ત્યારે હવે સમય તમામ દેશવાસીઓની જવાબદારીનો છે જે મોદી સરકારને એક મજબૂત અને આત્મનિર્ભર ભારત આપશે. તેમ અંતમાં પ્રદેશ ભાજપ અગ્રણી ચેતનભાઈ રામાણીય જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here