યુનોમાં ભારતનો સ્પષ્ટ દાવો, પાક.સરકારની શાહી આગતા-સ્વાગતા માણી રહી છે: દાઉદ ઈબ્રાહીમને પાકિસ્તાનમાં છુપાવી રાખવામાં આવ્યો છે, અને ફાઈવ સ્ટાર સુખ સગવડો આપવામાં આવે છે: યુનોમાં ભારતનાં આકરા પ્રહારો
ભારતે આજે સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા યુનોમાં પાકિસ્તાન પર જોરદાર પ્રહારો કરતા સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું હતું કે, મુંબઈમાં 1993 માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા પાછળ જવાબદાર મુખ્ય સૂત્રધાર દાઉદ ઈબ્રાહીમ અને તેની ડી-કંપનીને પાકિસ્તાનમાં આસરો આપવામાં આવ્યો છે. ડી-કંપનીને અને દાઉદને સરકારી રક્ષણ પૂરું પાડવામાં આવે છે. એટલું જ નહીં એમની ફાઈવ સ્ટાર આગતા સ્વાગતા કરવામાં આવી રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
યુનો ખાતેનાં ભારતનાં કાયમી પ્રતિનિધિ અને રાજદૂત ટી.એસ.ત્રિમૂર્તિ એ યુનોમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય ત્રાસવાદ વિરોધી પરિષદમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, આતંકવાદ અને સંગઠિત ગુનાખોર માફીયા ટોળકીઓ વચ્ચેની ધરી સમજવી જોઈએ અને એ રીતે તેનો કડક હાથે સામનો થવો જોઈએ. ડી-કંપનીનો પરોક્ષ ઉલ્લેખ કરતા ભારતીય દૂતે જણાવ્યું હતું કે, બોમ્બ ધડાકાનાં સુત્રધાર માફીયા ટોળકીનાં તત્વો પાકિસ્તાનમાં છુપાયા હોવાનું માનવામાં આવે છે.
Read About Weather here
એમને સરકારી રક્ષણ મળે છે અને ફાઈવ સ્ટાર સુખ સવલતો આપવામાં આવે છે. ગત ઓગસ્ટ 2020 માં પાકિસ્તાને પહેલીવખત તેની ભૂમિ પર દાઉદની હાજરી હોવાની કબુલાત કરી હતી. ત્રિમૂર્તિએ જણાવ્યું હતું કે, યુનોએ લાદેલા પ્રતિબંધોને કારણે આતંકવાદીઓ સુધી પહોંચતું ફંડ, આતંકવાદીઓની ગુપ્ત હેરફેર અને ત્રાસવાદી જૂથો સુધી શસ્ત્રો પહોંચવાના પ્રયાસો નિયંત્રિત કરી શકાયા છે. જો કે હજુ આ નિયંત્રણોનાં પુરેપુરા અમલનો પડકાર સામે ઉભો છે.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here