મમતા બેનર્જી દિલ્હી મુલાકાત…!

મમતા બેનર્જી દિલ્હી મુલાકાત...!
મમતા બેનર્જી દિલ્હી મુલાકાત...!
મમતા દિલ્હી એવા સમયે આવી રહી છે, જ્યારે ત્રિપુરામાં પશ્ચિમ બંગાળ યુવા યુનિટના અધ્યક્ષ સયાની ઘોષની શનિવારે રાતે મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબને ધમકી આપવાના આરોપમાં હત્યાના પ્રયાસની કલમો હેઠળ ધરપકડ કરી લેવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સંસદના શિયાળુ સત્ર પહેલા આજથી રાજધાની દિલ્હીના ચાર દિવસના પ્રવાસે છે. મમતા બેનર્જીના દિલ્હી આવે તે પહેલા તેમના સાંસદોને પણ અહીં પહોંચવાના નિર્દેશ મળ્યા છે.

આ સિવાય મમતાના દિલ્હી પ્રવાસ પહેલા ભાજપના સાંસદ વરુણ ગાંધી TMCમાં જોડાશે કે કેમ તે અંગેના અહેવાલો પણ મીડયામાં વહેતા થયા છે.આ સપ્તાહના અંતમાં કોર્પોરેશનની ચૂંટણી થવાની છે અને ટીમએસી અને ભાજપ બંને પાર્ટીઓ એક-બીજા પર વિવિધ પ્રકારના પ્રહારો કરી રહી છે.

બીજી તરફ 29 નવેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થવાનું છે, જેમાં સરકારે વિપક્ષના ઘણા સવાલોનો સામનો કરવાનો છે. આ વર્ષે એપ્રિલ-મેમાં પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં મમતા બેનર્જીની જીત બાદ તેમનો આ બીજો રાજધાનીનો પ્રવાસ હશે.

મમતાએ અગાઉના પ્રવાસમાં એ વાત સ્પષ્ટ કરી હતી કે તે દર બે મહિને દિલ્હી આવશે. જોકે જુલાઈ પછીથી હવે તે હવે દિલ્હી આવી રહી છે.રાજકારણના જાણકારો કહે છે કે પશ્ચિમ બંગાળમાં ભાજપને હરાવ્યા પછી મમતા દિલ્હી વારંવાર એટલા માટે આવી રહી છે

કે તે માહોલ બનાવવા માંગે છે કે વિપક્ષનો સૌથી તાકાતવાર ચહેરો તે જ છે. અમે ટીમસીના કેટલાક સાંસદો, પાર્ટી નેતાઓ અને રાજકીય જાણકારો સાથે વાતચીતના આધારે આ તારણ પર આવ્યા છે. મમતાના દિલ્હી પ્રવાસમાં આમ તો ઘણા મુદ્દાઓ પર ચર્ચા થવાની છે.

જોકે પ્રવાસમાં આ પાંચ મહત્ત્વપૂર્ણ એજન્ડા સામેલ છે.ટીએમસી સુપ્રીમો વિપક્ષી નેતાઓને મળીને બીજેપીને સંસદમાં ઘેરવાની એક સંયુક્ત રણનીતિ બનાવી શકે છે. એવું કહેવાઈ રહ્યું છે કે ત્રણે કૃષિ કાયદાઓને પરત લેવાની જાહેરાત બાદ સંસદનું શિયાળું સત્ર તોફાની બની શકે છે.

જેમાં વિપક્ષ સરકારને ચારે તરફથી ઘેરવાની તૈયારી કરી રહ્યું છે. મમતા આ વાતને વધુ મજબુત બનાવવા વિપક્ષી નેતાઓને મળશે.રણનીતી બનાવવાના એકભાગરૂપે મમતા બેનર્જી વિપક્ષી એકતાને વધુ મજબુત કરવા માટે પહોંચી રહી છે.

મમતાના દિલ્હી પ્રવાસને એટલા માટે પણ મહત્વનો માનવામાં આવે છે કારણ કે પાંચ રાજ્યોમાં આગામી વર્ષથી ચૂંટણી થવાની છે. મમતાની પાર્ટી આગામી વર્ષે થનારી ગોવાની વિધાનસભા ચૂંટણીમાં પણ ઉતરી રહી છે.

મમતા બેનર્જીનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો કાર્યક્રમ છે. એમ કહેવાઈ રહ્યું છે કે તે રાજ્યના ઘણા મુદ્દાઓ પર પીએમ સાથે ચર્ચા કરવા માંગે છે. તેમાં સૌથી મહત્વનો મુદ્દો રાજ્યને બાકી રકમની ચૂકવણી અને સીમા સુરક્ષા બળના અધિકાર ક્ષેત્રના વિસ્તારનો છે.

પશ્ચિમ બંગાળ વિધાનસભાએ મંગળવારે બીએસએફના અધિકાર ક્ષેત્રનો વિસ્તાર કરવાના કેન્દ્રના નિર્ણયની વિરુદ્ધ એક પ્રસ્તાવ પસાર કર્યો હતો. આમ કરનાર આ બીજુ રાજ્ય બની ગયું છે.

રાજકારણમાં એ અંગે હાલ જબરજસ્ત ચર્ચા છે કે ભાજપ સાંસદ વરુણ ગાંધી ટીએમસીમાં સામેલ થઈ શકે છે. ભાજપના સાંસદ રહેલા બાબુલ સુપ્રીયો પહેલા જ ટીએમસીમાં સામેલ થઈ ચૂક્યા છે. પશ્ચિમ બંગાળમાં જીત પછી ટીએમસી પાર્ટી તોડો અભિયાનમાં લાગી ગઈ છે.

રાજ્યના ઘણા ભાજપ ધારાસભ્ય અને નેતા ચૂંટણી પછી ટીએમસીમાં સામેલ થયા છે. ઉલ્લેખનીય છે કે ભાજપના સાંસદ વરુણ ગાંધી TMCમાં જોડાશે એ અંગેના અહેવાલો પણ મીડયામાં વહેતા થયા છે.

એમ કહેવાઈ રહ્યું છે કે મમતાના એજન્ડામાં રાષ્ટ્રીય મીડિયા સાથેની મુલાકાત પણ સામેલ છે. મમતા દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન હિન્દીમાં જવાબ આપે છે. હિન્દી ભાષાને મહત્વ આપવા પાછળ તેમનો તર્ક ભારતમાં તેમની સ્વીકાર્યતાને વધારવાનો છે

Read About Weather here

જેમાં તે વિવિધ મુદ્દાઓ પર મીડિયાના સવાલોના જવાબ આપશે. જોકે એમ કહેવાઈ રહ્યું છે કે તેમની મીડિયા સાથેની આ વાતચીત ઓફ ધ રેકોર્ડ પણ થઈ શકે છે, જેવું અગાઉના પ્રવાસમાં થયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here