શહેરમાં જુદા-જુદા ગંદકીના ન્યુસન્સ પોઈન્ટના કારણે આજુબાજુના રહેવાસીઓને થતી મુશ્કેલીને ધ્યાનમાં રાખી ગત જુલાઈ મહિનાનાં મેયરએ ગંદકી ન્યુસન્સ પોઈન્ટ મુક્ત અભિયાન શરૂ કરેલ.
જેમાં ન્યુસન્સ પોઈન્ટ દુર કરવા માટેના પ્રયાસોના ભાગરૂપે વોર્ડ નં.11માં નાના મવા રોડ પર આવેલ રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજનામાં મેયર સહિતના પદાધિકારીઓના હસ્તે ડસ્ટબીન વિતરણ કરાયું હતું.
Visit Saurashtra Kranti Homepage here
વોર્ડ નં.11 માં ગોવિંદરત્ન બંગ્લોઝ પાસે મહાનગરપાલિકાની આવાસ યોજના આવેલ છે. આ આવાસ યોજનાની બાહર ન્યુસન્સ પોઈન્ટ આવેલ હતો. કોર્પોરેશનની આવાસ યોજનામાં ડસ્ટબીન આપવામાં આવી.
આ કાર્યક્રમમાં ડો. પ્રદિપ ડવ, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવા, ડે. કમિશનર એ.કે. સિંહ, સેનિટેશન કમિટીના ચેરમેન અશ્ર્વિનભાઈ પાંભર, વોર્ડ નં.11 ના કોર્પોરેટર રાણાભાઈ સાગઠિયા, વિનોદભાઈ સોરઠિયા, ભારતીબેન પાડલિયા, લીલુબેન જાદવ, પર્યાવરણ ઈજનેર નિલેષભાઈ પરમાર, વિધાનસભા 71 ના ઇન્ચાર્જ રાજુભાઈ બોરીચા, વોર્ડના પ્રભારી રાજુભાઈ માલધારી, મહામંત્રી હરસુખભાઈ માંકડિયા, સંજયભાઈ બોરીચા વગેરે ઉપસ્થિત રહેલ.
Read About Weather here
આ આવાસ યોજનામાં 20 બ્લોક આવેલ છે. દરેક બ્લોક દીઠ 2 ડસ્ટબીન આપવામાં આવેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here