ભુલા પડેલા બાળકોને વાલી સાથે મિલન કરાવતી કુવાડવા પોલીસ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
કુવાડવાના વાંકાનેર રોડ પર રાણપુર નવાગામથી એક બાળક અનિરૂધ્ધ (ઉ.8) અને દિવ્યા (ઉ.3ાા) મળી આવ્યા હતાં. આ બંને ભુલા પડી ગયા હોઇ કુવાડવા પોલીસની ટીમ તેને પોલીસ સ્ટેશને લાવી હતી અને નાસ્તો કરાવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ. આર. ટંડેલની સુચના મુજબ પીઆઇ ભાર્ગવ એમ. ઝણકાટની રાહબરીમાં હેડકોન્સ. હિતેષભાઇ ગઢવી, કોન્સ. રવિભાઇ ચાવડા અને દિપકભાઇએ તપાસ હાથ ધરી કુવાડવાથી બાળકોના પિતા વિપુલભાઇ હરસુખભાઇ વ્યાસને શોધી કાઢી બાળકોને સોંપ્યા હતાં.

Read About Weather here

આ બળકો શનિવારે રાતે નવેક વાગ્યે ગોકુલ ગાઠીયાવાળાની બાજુમાં આવેલા વોટર કૂલર ખાતે પાણી ભરવા ગયા હતાં. ત્યાંથી રસ્તો ભુલી ગયા હતાં. પિતા, પરિવારજનોએ રાતભર શોધખોળ કરી હતી. અંતે પોલીસે આ બાળકોને તેના વાલી સાથે ભેટો કરાવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here