‘ભાજપ સિવાય કોઇ રાજકીય પક્ષના આગેવાનનું મહેમાનની યાદીમાં નામ નથી’

‘ભાજપ સિવાય કોઇ રાજકીય પક્ષના આગેવાનનું મહેમાનની યાદીમાં નામ નથી’
‘ભાજપ સિવાય કોઇ રાજકીય પક્ષના આગેવાનનું મહેમાનની યાદીમાં નામ નથી’

રાજપૂત સમાજના આગેવાન રાજભા ઝાલા (કણકોટ)નો આક્ષેપ
અમુક આગેવાનોની પક્ષપાત ભરી અને પક્ષને સમર્પિત થઇ જવાની નીતિ સામે સમાજના બાંધવો સમક્ષ વ્યથા રજુ કરૂ છું: રાજભા ઝાલા
નવનિર્મિત રાજપૂત સમાજ ભવન-ગાંધીગ્રામનો ભવ્ય અર્પણ સમારોહ આજે બપોરે યોજાશે

શ્રી આશાપુરા સેવા સમાજ ટ્રસ્ટ સંચાલીત ગાંધીગ્રામ સ્થિત આશાપુરા મંદિર ખાતે નવનિર્મીત રાજપૂત સમાજ ભવનનો લોકાપર્ણ સમારોહ આજે શનિવારે બપોરે રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી કિરીટસિંહના અધ્યક્ષ સ્થાને આયોજીત કરવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

આ તકે રાજપૂત સમાજના આગેવાન રાજભા ઝાલા (કણકોટે) કચવાટ ઠાલવતો પત્ર લખ્યો છે જેમાં લખ્યું છે કે મારા સમાજ બાંધવો સમક્ષ સમાજના અમુક આગેવાનોની પક્ષપાત ભરી નીતિ અને શાસક પક્ષને સમર્પિત થય જવાની નીતિ સામે સમાજના બાંધવો સમક્ષ મારી વ્યથા રજૂ કરૂ છું.

જેથી સમાજના બાંધવો પણ વિચારે.હું આ આર્ટિકલના માધ્યમથી સમાજના આગેવાનો દ્વારા પક્ષપાતી નીતિનો પર્દાફાશ કરીને ભવિષ્યમાં સામાજિક આગેવાનો સમાજના જ બની રહે અને કોઈ પક્ષ વિશેષ માટે માત્ર પ્રેમ દાખવવાની વૃત્તિમાંથી બહાર આવે.

આજે હું વાત કરવાનો છું ગાંધીગ્રામ રાજપૂત સમાજ ભવન લોકાર્પણ પ્રસંગની.મારા માટે તો એક રીતે આનંદની ઘડી છે કે આપણા સમાજનું ભવન સમાજને અર્પણ થાય છે.જે સમાજના દરેક મદ્યમવર્ગી પરિવારને ઉપયોગી થશે.

આજે મે પ્રે ના માધ્યમથી જાણ્યું કે સમાજનું ભવન લોકાર્પણ કાર્યક્રમ છે.જેમાં મહેમાનોનું લિસ્ટ જોયું દુ:ખ સાથે લખવું પડે છે કે લોકાર્પણ કાર્યક્રમમા મહેમાન તરીકે ભાજપ પક્ષ સિવાયના કોય રાજકીય પક્ષના આગેવાનનું મહેમાનની યાદીમા નામ નથી.

જે ખુબજ આંચકો પમાડ નારી વાત છે.તેથી આગળ જય ને કહું તો એવા બે મહેમાનોના નામ જોયા જે આપણા સમાજના નથી.સમાજના આગેવાનોની ગુલામી માનસિકતાનું પ્રદર્શન કર્યું છે.હું જાહેર જીવનમાં હોવાના કારણે અન્ય સમાજના સામાજિક કાર્યક્રમોની માહિતી મારી પાસે હોય છે.

તેમાં જે સમાજે પોતાના સમાજ માટે મોટા ભવનો બનાવ્યા હોય કે શૈક્ષણિક સંકુલો બનાવ્યા હોય કે મંદિરો બનાવ્યા હોય તેમાં જેતે સમાજ ના તમામ રાજકીય પક્ષ ના આગેવાનો ને મહત્વ આપ્યું હોવાનું મારા ધ્યાન માં છે .

અને કદાચ તેથીજ તે સમાજની પ્રગતિ પ્રમાણ મા આપણા કરતા સારી હશે.સામાજિક આગેવાનો એ કોઇ પક્ષ ના મહોતાજ ના હોય તેવા સમાજનો જ વિકાસ થતો હોઈ છે.જે હકીકત છે.

મારૂ સમાજના બાંધવો સમક્ષ ધ્યાન દોરવાનું અને આપ બધા પાસે અપેક્ષા છે કે કોઇ એક પક્ષ પ્રત્યે મમત્વ દર્શાવતા સમાજના આગેવાનો ને સમાજ ઓળખે અને તેમને ટકોર પણ કરે સમય આવ્યે કે સામાજિક કાર્યક્રમમા પક્ષ પાતનો હોવો જોઈ એ.હું વર્ષોથી રાજકોટમા રાજકીય

અને સામાજિક રીતે સક્રિયતાથી કામ કરીરહ્યો છું.તે નાતે પણ મને કાર્યક્રમમા માનભેર બોલાવવો જોઈએ.જ્યારે સમાજ ને જરૂર પડી છે ત્યારે હું મારા પક્ષની સામે પડી ને પણ સમાજની પડખે ઊભો રહ્યો છું.તેવા અનેક દાખલા છે.અને જે બનાવોથી ગાંધીગ્રામ સમાજના આગેવાનો વાકેફ પણ છે.

કદાચ ભાજપ ના આપણા સમાજ સિવાયના બે આગેવાનો કાર્યક્રમ ની શોભામાં અભિવૃદ્ધિ કરવાના છે તેની પાસે સારાથવા હું કાર્યક્રમમા ઉપસ્થિત ના રહું તેવી ચીવટ રાખી હોય તેવું મને લાગે છે.

મહેમાન તરીકે મને બોલાવવા ના તમામ માપ દંડો માં મારી યોગ્યતા છે જ હા મહેમાન તરીકે ભાજપ પક્ષ માં હોય તેનેજ બોલાવવા ના હોય તો તે ક્રાઈટએરિયામા હુ ફીટ નથી થતો.એથી આગળ જય ને કહું તો મારી શંકા એટલે દ્રઢ થાય છે

કે કાર્યક્રમમાંથી મને અળગો રાખવા કોયના પ્રેશરથી પ્રયત્ન થયો હોય. હું તે સમાજ ભવનના દાતાઓ પેકી મા પણ આવું છું. જો દાતાઓનું સન્માન કરવાનું હોય તો મને તે બાબતે પણ આમંત્રણ આપવું જોઇએ. તેમાંથી પણ મને બાકાત રાખ્યો છે.

સમાજ ના તટસ્થ આગેવાનો છે જ હજુ સમાજમાં તેમના ધ્યાન ઉપર વાત લાવવી મારી ફરજ માનીને સમાજ સમક્ષ હું વાત રજૂ કરૂં છું.ભવિષ્યમાં સામાજિક કાર્યક્રમોએ સમાજના થાય કોય પક્ષ પૂરતા સીમિતના રહે તે આશય સાથે માત્ર સમાજના ભાઈ ઓ સમક્ષ આર્ટિકલ મુકું છું.

Read About Weather here

આપનો ભાઈ રાજભા ઝાલા (કણકોટ) ભૂતપૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી ભૂતપૂર્વ અધ્યક્ષ રાજપૂત કરણી સેના ગુજરાત ટ્રસ્ટી હરભમજી રાજ ગરાસિયા છાત્રાલય ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ ,9825406686

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here