મહાનગરપાલિકાનાં પૂર્વ વિરોધપક્ષનાં નેતા વોર્ડનં. ૧૫ નાં કોંગ્રેસનાં કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયા અને કોર્પોરેટર મકબુલભાઈ દાઉદાણીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, જો ભાજપને જન આશીર્વાદ યાત્રા લોકોના સારા કામો કર્યા હોય દુઃખમાં ભાગ લીધો હોય તો લોકોનાં આશીર્વાદ તેની રીતે જ મળી જાય.
Read Local News / Articles : Saurashtra , Gujarat
Read About Weather here
જન આશીર્વાદ શેના માટે?ક્યાં મોઢે જન આશીર્વાદ માંગો છો? ઓક્સિજન વગર લોકોનાં મૃત્યુ થયા તેના માટે આશીર્વાદ માંગો છો? વોડ ખૂટ્યા, વેન્ટીલેટર ખૂટ્યા તેના માટે આશીર્વાદ માંગો છો? સ્મશાનમાં બે દિવસનું વેઈટીંગ હતું તેની માટે આશીર્વાદ માંગો છો? ઇન્જેક્શનનાં કાળાબજાર થયા, લોકો લુંટાય તેના માટે આશીર્વાદ માંગો છો? કોરોનાથી મૃત્યુ થયેલાને એકપણ રૂપિયો સહાયનાં કરી તેના માટે આશીર્વાદ માંગો છો? શિક્ષણ મોંઘુ થયું. બેકારી વધી- ભૂખમરો વધ્યો તેના માટે આશીર્વાદ માંગો છો? દેશની આર્થિક સ્થિતિ ડામાડોળ કરી લોકોને લુંટાવી દીધા તેના માટે આશીર્વાદ માંગો છો? તેમ અખબારી યાદીમાં જણાવ્યું છે.