શુક્રવારે સૂરમંદિર પરીવાર અને સ્માઈલ ગ્રુપ પરીવાર દ્વારા બે લાઇવ સંગીતનાં કાર્યક્રમોનું આયોજન
બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટ ખાતે અનેક સેવાકીય પ્રવૃતિઓ દ્વારા રાજકોટ તેમજ આસપાસના ગામોમાં પણ પોતાનું અનોખુ નામ બનાવ્યું છે. બોલબાલા ટ્રસ્ટમાં ચાલી રહેલ સિનિયર સિટીઝન મેમ્બરો માટે ગાયક મુકેશજીની પુણ્યતિથી નિમિતે રાજકોટ અરવીંદભાઈ મણીયાર હોલ ખાતે શુક્રવારે બપોરે 3:30 થી રાત્રે 8 વાગ્યા સુધી બે અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
જેમાં સુરમંદિર પરિવાર ટીમ દ્વારા મુકેશજીના યાદગાર ગીતો રજુ કરવામાં આવશે. જેમાં આર્કીટસ્ટ ઘનશ્યામભાઈ રાવલ (વોઈસ ઓફ મુકેશ), અલ્પાબેન ગૌસ્વામી, બીપનીભાઈ મકવાણા તથા ટીમ જેમનું સંચાલન જયંતભાઈ જોષી કરશે.
તેમજ સાંજે 7 કલાકે સ્માઈલ પરિવાર દ્રારા એક શામ મુકેશ કે નામ થીમ પર આધારીત લાઈવ સંગીત સંધ્યાનુ આયોજન કરે છે. જેમાં આર્ટીસ્ટ- સુનિત શાહ, નૈસદ દોશી, હીના કોટડીયા, ઈલા દોશી, એચ.કે.લીયા, કીરીટ નિમ્બાર્ક, જીતેન્દ્ર ભટ્ટ, અશોક ચંદ્રાવાડીયા, જીલ્લા નંદાણી, ગીતા ભટ્ટ, ડો. અતુલ જોષી, મનોજ સોની, હસુ કાનપરા,
Read About Weather here
સુરેશ ખખખર. એન્કરીંગ મીનલ સોનપાલ, સ્મીતા વ્યાસ, તેમજ ઓરકેસ્ટ્રામાં બીપીનભાઈ મકવાણા તથા તેમની ટીમ દ્રારા સુમધુર સંગીત સાથે લાઈવ ગીતો દ્વારા સૌને આનંદીત કરશે. આ બન્ને કાર્યક્રમોમાં પધારવા આપ સૌને બોલબાલા ટ્રસ્ટના ટ્રસ્ટી જયેશ ઉપાધ્યાયની યાદી જણાવે છે.(૭.૧૨)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here