બૂટલેગરે પોલીસને દોડાવી દોડાવીને માર માર્યો…?

બૂટલેગરે પોલીસને દોડાવી દોડાવીને માર માર્યો...?
બૂટલેગરે પોલીસને દોડાવી દોડાવીને માર માર્યો...?
નરોડામાં ફરજ બજાવતા સુરેશ અને નવરંગપુરામાં ફરજ બજાવતા રુદ્રદતસિંહ નામના 2 પોલીસકર્મી મૂઠિયા ગામ પાસે પ્રોહિબિશન આરોપીને પકડવા ગયા હતા, જ્યાં મામલો બિચકતાં બૂટલેગર અનિલ સોલંકી અને સંજય સોલંકી સહિત કેટલાક લોકોએ બંને પોલીસકર્મીને માર માર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

અમદાવાદમાં પોલીસ જ સુરક્ષિત નથી તેને સાબિત કરતો એક કિસ્સો બન્યો છે. નરોડામાં આરોપીને પકડવા ગયેલા પોલસીકર્મીઓને સ્થાનિક બૂટલેગરે જાહેરમાં રોડ પર માર માર્યો છે. નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી અને નરોડામાં ફરજ બજાવતા પોલીસકર્મીને બીભત્સ ગાળો આપી મારીને રોડ પર દોડાવી દોડાવીને માર્યા હતા.

લોખંડના હથોડા જેવાં હથિયાર વડે પોલીસને માર માર્યો હતો. રસ્તા પર દોડતા સમયે પોલીસકર્મી પડી ગયો છતાં તેને માર મારવાનું ચાલુ જ રાખ્યું હતું. એટલુ જ નહીં, પોલીસકર્મીઓ ભાગી રહ્યા હતા ત્યારે પણ તેમને એક્ટિવા પર બેસતા સમયે પણ માર માર્યો હતો. રુદ્રદત નામનો પોલીસકર્મી પીઆઈનો વહીવટ કરતો હોવાનું પણ ચર્ચામાં છે

Read About Weather here

અને આજે બંને પોલીસકર્મી જ્યારે બૂટલેગરને ત્યાં પહોંચ્યા ત્યારે પૈસાની લેતી દેતી બાબતે જ મામલો બિચકતાં પોલીસકર્મીઓને માર્યા હોવાની વાત પણ ચર્ચાઈ રહી છે.પોલીસ પ્રોહિબિશનના આરોપીને પકડવા ગઈ હોવાની વાત સામે આવી છે, પરંતુ નવરંગપુરાના પોલીસકર્મી નરોડા પોલીસ સાથે શા માટે બૂટલેગરને ત્યાં ગયો એને લઈને ચર્ચા ચાલી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here