બિગ બોસના ઘર માંથી આ 9 કન્ટેસ્ટન્ટ બેઘર થઈ શકે છે…!

બિગ બોસના ઘર માંથી આ 9 કન્ટેસ્ટન્ટ બેઘર થઈ શકે છે...!
બિગ બોસના ઘર માંથી આ 9 કન્ટેસ્ટન્ટ બેઘર થઈ શકે છે...!

હાલમાં બિગ બોસ દ્વારા જંગલ ખતમ કરવાની જાહેરાત કરવામાં આવી છે. વિશ્વસુનટ્રીએ ઘરના લોકોની સામે બે શરતો રાખતા કહ્યું કે તેમને મુખ્ય ઘરમાં જવા માટે પ્રાઈઝ મનીમાંથી 25 લાખ રૂપિયા કપાવવા પડશે અથવા તો જંગલમાં હાજર તમામ કન્ટેસ્ટન્ટ્સને સીધા શોમાંથી બહાર કરી દેવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

આ સાંભળીને તમામ કન્ટેસ્ટન્ટ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ટેલિવિઝન રિયાલિટી શો બિગ બોસ 15માં અત્યારે જંગવાસી, મુખ્ય ઘરમાં જગ્યા બનાવવા માટે સ્ટ્રગલ કરી રહ્યા છે. ટિકિટ ટૂ મેઈન ટાસ્ક અંતર્ગત તમામ ઘરના લોકોને નોટ છાપવાનું કામ આપવામાં આવ્યું હતું.

શમિતા શેટ્ટી, વિશાલ કોટિયન, કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશે ટાસ્ક પૂરો કરીને મુખ્ય ઘરમાં જગ્યા બનાવી લીધી છે, ત્યારબાદ હવે બીજા અન્ય કન્ટેસ્ટન્ટ પર એક સાથે બેઘર થવાનું જોખમ મંડરાઈ રહ્યું છે.

ટાસ્કની શરૂઆતથી જ જય ભાનુશાળી તમામ પ્લેયર્સની વિરુદ્ધ હતો. તેનું કહેવું છે કે, શો કોઈ પણ જીતે પરંતુ તે વિનિંગ અમાઉન્ટમાંથી 5 લાખ રૂપિયા ઓછા નહીં થવા દે. જય ટાસ્કમાં પ્રતીક સહજપાલની સાથે હતો, જ્યારે પ્રતીક જાતે પ્રાઈઝ મની કટ કરવા માટે સંમત થયો હતો.

અત્યારે ટાસ્ક જીત્યા બાદ શમિતા શેટ્ટી, વિશાલ કોટિયન, કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશ મુખ્ય ઘરમાં પહોંચી ચૂક્યા છે. જ્યારે પ્રતીક સહજપાલ, નિશાંત ભટ્ટ, ઈશાન સહગલ, માઈશા અય્યર, આકાસા સિંહ, અફસાના ખાન, જય ભાનુશાળી, ઉમર રિયાઝ હજી પણ જંગલમાં છે.

આ વાત પર બંનેની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિશ્વસુનટ્રીએ જય ભાનુશાળીની સામે શરત રાખી છે, આવી સ્થિતિમાં તમામ ઘરના લોકો તેની વિરુદ્ધ થઈ ચૂક્યા છે.

Read About Weather here

જો જય ભાનુશાળી પ્રાઈઝ મની કટ કરાવવા માટે સંમત નહીં થાય તો એક સાથે જંગલમાં હાજર 9 લોકો બેઘર થઈ જશે. તો બીજી તરફ કેટલાક નવા કન્ટેસ્ટન્ટ્સને પણ શોમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી મળે તેવી શક્યતા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here