અકસ્માત કારણે બસ અને ટ્રેલરમાં જોરદાર આગ ફાટી નીકળી હતી. જેમાં 12 લોકો જીવતા સળગી ગયા હોવાની આશંકા છે. માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
Visit Saurashtra Kranti Homepage here
આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. બસમાં હજી પણ મુસાફરો ફસાયા હોવાની વાત જાણવા મળી રહી છે. રાજસ્થાનના બાડમેરમાં બસ અને ટ્રક વચ્ચે મોટો અકસ્માત સર્જાયો છે. આ માર્ગ અકસ્માતમાં 10 થી વધુ લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે.જ્યારે અકસ્માતમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે.
બસ બાલોતરાથી જોધપુર તરફ જઇ રહી હતી. આ દરમિયાન ભાંડિયાવાસ ગામ નજીક બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસમાં ભીષણ આગ લાગી હતી. બસમાં 15 લોકો સવાર હોવાની વાત જાણવા મળી રહી છે.
સ અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં જ બસમાં ભીષણ આગ લાગી હતી. બસમાં સવાર કેટલાક લોકો બસના કાચ તોડીને બહાર નીકળી ગયા હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને 10 લોકોને બસમાંથી બહાર કાઢ્યા હતા. અકસ્માત થવાને કારણે હાઇવે પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો છે.
બસમાં સવાર એક મુસાફરે જણાવ્યુ હતું કે બસ 9:55 વાગે બાલાતોરાથી રવાના થઈ હતી. ત્યારબાદ બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભયંકર હતી
Read About Weather here
કે થોડીક જ મીનિટોમાં આગે આખી બસને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી અને આગમાં બળીને બસ ખાખ થઈ ગઈ હતી. જો કે આ આ દરમિયાન સામેથી રોન્ગ સાઈડમાં આવી રહેલા એક ટ્રકે બસને જોરદાર ટક્કર માટી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here