પત્રકારીત્વના નામે વ્યવસાયનો દુરઉપયોગ કરનારની હવે ખેર નથી

પત્રકારીત્વના નામે વ્યવસાયનો દુરઉપયોગ કરનારની હવે ખેર નથી
પત્રકારીત્વના નામે વ્યવસાયનો દુરઉપયોગ કરનારની હવે ખેર નથી

પ્રેસ ફોટોગ્રાફર એન્ડ ઇલેકટ્રોનીક મિડીયા કેમેરા એસોસિએશન રાજકોટ દ્વારા મુખ્યમંત્રી, પો.કમિશનર અને કલેકટરને રજુઆત
સાપ્તાહિક અને અર્ધ સાપ્તાહિકના રજીસ્ટર કરાવી અને સોશિયલ મીડિયામાં વેબ ચેનલો બનાવી કહેવાતા પત્રકારોથી પીડીત લોકો એસોસિએશનના હોદેદારોનો સંપર્ક કરી શકે છે
પત્રકાર હોવાનો ડોળ કરી ગેરકાનુની રીતે સાચા વ્યવસાયમાં અવરોધ રૂપ બનનાર તમામ સામે હવે જાહેરમાં પકડાશે તો કાનુની કાર્યવાહી થશે

રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી સપ્તાહીક અને અર્ધ સાપ્તાહીકના રજીસ્ટર કરાવી અને સોશિયલ મિડીયામાં વેબચેનલો બનાવી હાલી નીકળેલા પત્રકારો સામે રાજકોટ પ્રેસ ફોટોગ્રાફર અને ઇલેકટ્રોનીક મીડિયા એસોસિએશને લાલ આંખ કરી છે અને આ તમામ સામે પગલા લેવા માટે પ્રભારી જીતુ વાઘાણી, પ્રભારી સચિવ રાહુલ ગૃપ્તા, મુખ્યમંત્રી સચીવ, કલેકટરઅને પોલીસ કમીશનરને રજુઆત કરી છે. અને જણાવ્યું હતુ કે પત્રકારીત્વના નામે વ્યવસાયનો દુરુઉપયોગ કરનારની હવે ખેર નથી

Visit Saurashtra Kranti Homepage here

વધુમાં રજુઆતમાં જણાવ્યું છે કે, છેલ્લા કેટલાંક સમયથી સ્થાનિક તેમજ જિલ્લાઓમાં અને રાજ્યકક્ષાએ જેના રજીસ્ટ્રેશન અંગેની કોઇ ચોકકસ માર્ગદર્શિકા અમલમાં નથી . પરિણામે સોશિયલ મિડીયા જેવા કે ન્યુઝ ચેનલો વેબ ચેનલો અને સોશ્યલ મિડીયાના પ્રતિનિધિઓની સંખ્યામાં સતત વધારો થઇ રહયો છે . સંખ્યામાં માત્ર મોબાઇલ અને બુમ જેવા સાધનો લઇ આવીને રાજય સરકારના અગત્યના કાર્યક્રમો રાજય ટયુબ ફેસબુક વગેરે જેવા પ્લેટફોર્મ ઉપર સાવ ઓછી સંખ્યામાં ફોલોવર ધરાવતાં હોવા છતાં મોટી આવીને કવરેજ માટે અવરોધ ઉભા કરતાં હોય છે જયારે ખરેખર તેઓ કોઇ પ્રકારનું રજીસ્ટ્રેશન ધરાવતા નથી.

કહેવાતા પત્રકારો / કેમેરામેન રાજય સરકારની જુદી જુદી કચેરીઓમાં જઇ અસભ્ય વર્તન કરી અધિકારી તદુપરાંત આ પ્રકારના સોશિયલ મિડીયામાં માત્ર લોગો બનાવી પત્રકાર હોવાનો દાવો કરતાં / કર્મચારીઓને ધાક ધમકી પણ આપતા હોય છે . આને કારણે સામાન્ય જનતામાં માન્ય પત્રકારો વિશે ગેરસમજણ પણ ઉભી થતી હોય છે. આટલાં બધાં કુટી નીકળેલા કહેવાતાં પત્રકારોએ અનેક જગ્યાએ મુખ્યમંત્રીના કાર્યક્રમનું કવરેજ કરવામાં અડચણો ઉભી કરી હતી . આવા અનેક બનાવો રાજકોટ શહેરમાં બન્યા છે . જેમાં આ પ્રકારના કેમેરામેન / પ્રતિનિધીઓ કચેરીઓમાં જઇ અધિકારીઓને હેરાન કરતાં હોય છે .

અને મોબાઇલથી શુટીંગ કરી કર્મચારી,અધિકારીઓને માનસિક ત્રાસ આપવાનું કૃત્ય કરતાં હોય છે . કેટલીક જગ્યાએ નાણાંકીય માંગણીઓ પણ કરવામાં આવતી હોય છે . આખરે આવી બાબતોથી રાજય સરકારની ઇમેજને ઘણે અંશે નુકસાનકારક થાય છે .આવા લેભાગુ પ્રકારના ઉભા થયેલાં પત્રકારો દ્વારા સ્થાનિક લેવલે સાંતરે એસોસિએશન પણ તેઓ સોશ્યલ મિડીયા / વેબ ચેનલ / કે અન્ય પ્રકારમાં ઇલેકટ્રોનીકસ મિડીયા ચેનલની અધિકૃતતા દર્શાવવામાં કરે છે જે તદન ગેરકાયદેસર છે .

આ પ્રકારના લોકો સામે કાયદાકીય પગલાં લઇ ઉભી થતી અડચણો દૂર કરવા ચોકકસ નિયમો બનાવવા આવશ્યક છે . રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરી અને શહેર પોલીસ દ્વારા કેટલાંક સમય પહેલાં રાજકોટના પ્રીન્ટ અને ઇલેક્ટ્રોનીકસ મિડીયાના માન્ય પ્રતિનિધીઓને ઓળખ કાર્ડ આપવામાં આવ્યા હતા . જો આ પ્રકારના ઓળખ કાર્ડ સ્થાનિક કક્ષાએથી અપાય તો આ પ્રશ્ર્ન કંઇક અંશે હલ થઇ શકે તેમ છે . અમારો હેતુ માત્ર કોઇને અવરોધ ઉભો કરવાનો નથી . પરંતુ અમારી કામગીરી સરળતાથી અને પ્રામાણિકતાથી કરી શકીએ . તેમજ ચોથી જાગીર તરીકે પ્રતિષ્ઠાને ઝાંખપ ના લાગે તે જ છે .

Read About Weather here

વ્યવસ્થાઓ અમારી માંગણી એવી છે કે રાજય સરકાર કાયમી ધોરણે આ બાબતની કોઇ માર્ગદર્શિકા નિયમો કે પોલીસી નકકી કરે તો સરકારના પ્રતિનિધિઓ રાજય સરકારના અધિકારીઓ / કર્મચારીઓ કચેરીઓ આમ જનતાને કંઇક અંશે માનસિક પ્રતારણામાં રાહત રહેશે . રાજય સરકાર અને સ્થાનિક તંત્ર આ બાબતે કોઇ ચોકકસ નિર્ણય લઇ કાર્યવાહી તાકીદે હાથ ધરે તેવી અમારા એસો . ના સભ્યોની લાગણી અને માંગણી છે . આ અંગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવા વિનંતી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here