બ્રાહ્મણીયાપરામાં પત્ની પર હુમલો કર્યા બાદ રાત્રીના પતિનો ગળાફાંસો ખાઈ આપઘાત

બ્રાહ્મણીયાપરામાં પત્ની પર હુમલો કર્યા બાદ રાત્રીના પતિનો ગળાફાંસો ખાઈ આપઘાત
બ્રાહ્મણીયાપરામાં પત્ની પર હુમલો કર્યા બાદ રાત્રીના પતિનો ગળાફાંસો ખાઈ આપઘાત

દારૂ પીવાના પૈસા બાબતે ઝગડો થતા પતિએ દસ્તા વડે હુમલો કરી પત્નીને ઇજાગ્રસ્ત કરી’તી ; પોલીસકેસની બીકથી પતિએ રાત્રીના આત્મઘાતી પગલું ભરી લીધું

શહેરના ગોવિંદ બાગ શાર્કેટ પાસે બ્રાહ્મણીયાપરામાં દારૂ પીવા બાબતેના પૈસા માંગી પતિ તેની પત્નીને માથામાં દસ્તો મારી દીધા બાદ રાત્રીના સમયે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા કોળી પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી.

Subscribe Saurashtra Kranti here

પ્રાપ્ત વિગતો મુજબ ગોવિંદબાગ શાક માર્કેટ પાસે બ્રાહણીયાપરામાં રહેતા હરિભાઈ ચનાભાઈ સીતાપરા ( ઉ.વ 55) એ ગઈકાલે રાત્રીના સમયે પત્ની સરોજબેન પાસે દારૂ પીવાના પૈસા માંગવા બાબતે ઝગડો થયો હતો. પત્ની સરોજબહેને પૈસા આપવાની ના પાડતા તેના પતિ હરિભાઈએ માથામાં દસ્તો ઝીંકી દઈ મારકુટ કરી હતી.

રાત્રીના સમયે ઇજાગ્રસ્ત હાલતમાં સરોજબેન હરિભાઈ સીતાપરા ( ઉ.વ 40) ને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બાદમાં મારામારી અંગેનો પસ્તાવો થતા અને પોલીસ પકડીને મારશે તેવી બીકથી રાત્રીના સમયે હરિભાઈ ચનાભાઈ સીતાપરા ( ઉવ 45) એ રાત્રીના સમયે પંખામાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

સવારે સિવિલ હોસ્પિટલમાં પરત ફરેલા કોળી પરિવારે પુત્રની લટકતી લાશ જોઈને હેબતાઈ ગયા હતા.બનાવ અંગે બી ડિવિઝન પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને પી.એમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Read About Weather here

મૃતક હરિભાઈએ દાણાપીઠમાં છકડો રીક્ષા ચલાવી ઘરનું ગુજરાન ચલાવતા હતા. સંતાનમાં 2 પુત્ર – 1 પુત્રી છે.છેલ્લા ઘણા સમયથી દંપતી વચ્ચે દારૂ પીવાના પૈસા બાબતે ઝગડો થતો હોવાનું બી ડિવિઝન પોલોસે જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here