એગ્રીકલચર કોલેજમાં મદદનીશ પ્રાધ્યાપકના એકના એક દીકરા સાથે ઉતરાણ પહેલા થયેલી દુર્ઘટનાએ માતા-પિતાઓ માટે જાગૃત રહેવાનો સંદેશો આપી રહી છે. ઉતરાયણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે.
Visit Saurashtra Kranti Homepage here
ત્યારે દરેક માતા-પિતા તથા પતંગરસિકો માટે લાલતબતી ધરતો બનાવ સામે આવ્યો છે. સુરતના અડાજણ-પાલ રોડ ઉપર એક માસૂમ પાંચમાં માળની અગાસી ઉપરથી પતંગ ચગાવતા બહેન અને બાળ મિત્રોની નજર સામે નીચે પટકાતા મોતને ભેટ્યો છે.
પીડિત પિતાએ કહ્યું કે, કાલે પહેલી જ વાર પતંગ આપ્યા ને, છ વર્ષના માસૂમ તનયના જીવનની દોર તૂટી ગઈ, પત્ની તો હજી અજાણ છે, લાડકા દીકરાના મૃતદેહને જોઈ એના પર શું વીતશે એ ખબર નથી..
હિરેનભાઈ પટેલ (પીડિત પિતા)એ જણાવ્યું હતું કે, તનય ધોરણ-1માં અભ્યાસ કરતો હતો. રોજ નીલકંઠ એવન્યુના બાળ મિત્રો સાથે બાધા પર રમવા જતો હતો. તેની મોટી બહેન એની સાથે જ રહેતી હતી.
ગુરૂવારની સાંજે તનય એ પતંગ ચગાવવાની જીદ કરતા માતાએ પતંગ લાવી આપી હતી. બહેન અને બીજા બાળ મિત્રો સાથે જ હતા. તનય પટકાતા અચાનક બૂમાબૂમ અને ચિચયારીઓ પડતા લોકો ભેગા થઈ ગયા હતા.
પત્નીએ દોડીને જોયું તો તનય અગાસી ઉપરથી એટલે કે, લગભગ 60-70 ફૂટ ઉપરથી નીચે પટકાયો હતો. માથા અને છાતીમાં ગંભીર ઇજાઓ થઈ હતી. તાત્કાલિક દોડીને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જતા મૃત જાહેર કરાયો હતો.
પત્નીને તો એમ જ છે કે, તનય હોસ્પિટલમાં દાખલ છે અને સાજો છે, મારું મન જ જાણે છે. હું આખી રાત દીકરાના મૃતદેહ સાથે કેમ રહ્યો છું તેમ મૃતકના પિતાએ કહ્યું હતું.
હિરેનભાઈએ વધુમાં કહ્યું કે, હું પોતે મદદનીશ પ્રાધ્યાપક છું. પણ એની માતા ને કેવી રીતે અને કેમ શાંત રાખવી એ ખબર નથી પડતી. એ તો દીકરાને મળવાની જીદ પકડીને બેઠી છે.
Read About Weather here
હાલ અડાજણ પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે. એગ્રીકલ્ચર કોલેજ ઘોડદોડ રોડ, સુરતમાં. બસ પોસ્ટ મોર્ટમ થાય પછી દીકરાના મૃતદેહને ઘરે લઈ જઈશું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here