પંજાબના ભટિન્‍ડા બસ સ્‍ટેન્‍ડમાં આગ…!

પંજાબના ભટિન્‍ડા બસ સ્‍ટેન્‍ડમાં આગ…!
પંજાબના ભટિન્‍ડા બસ સ્‍ટેન્‍ડમાં આગ…!
ભટિડાના બસ સ્‍ટેશનમાં ભીષણ આગ લાગતા ૩ બસો સંપૂર્ણ આગમાં બળીને ખાખ થઇ ગઇ છે. પંજાબના ભટિન્‍ડામાં મોટી દુર્ઘટના ઘટયાના સમાચાર સામે આવી રહ્યાં છે. જો કે, આ દુર્ઘટનામાં એક કંડક્‍ટરનું મોત પણ નિપજ્‍યું છે.

Visit Saurashtra Kranti Homepage here

ભીષણ આગ લાગવાના વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે.ઘટનામાં પહેલાં એક બસમાં આગ લાગી હતી અને પછી જોતજોતામાં જ અન્‍ય બસો પણ આગની ઝપેટમાં આવી ગઇ. જો કે આ ઘટનાની જાણ થતા જ તુરંત ફાયરબ્રિગેડની ટીમ અને પોલીસ ટીમ પણ ઘટનાસ્‍થળે હાજર થઇ ગઇ હતી. હાલમાં ફાયરબ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે. હાલમાં પોલીસ આ આગ કેવી રીતે લાગી તે મામલે તપાસ કરી રહી છે.આ મોડી રાતની ઘટના છે.

Read About Weather here

હાલમાં પોલીસ દરેક એંગલથી આ મામલાની તપાસ કરી રહી છે અને તેમાં કોઈ બહારની વ્‍યક્‍તિનો હાથ છે કે કેમ તે અંગેની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્‍યું છે કે, બે બસો બસ સ્‍ટેન્‍ડ પર ઉભી રહેતાં જ તુરંત આગ ફાટી નીકળી હતી. જોતજોતમાં જ ૩ બસો આગની લપેટમાં આવી ગઇ હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અચાનક ત્રણ બસોને આ રીતે આગ લાગવાનું કારણ કદાચ તેની પાછળ ષડયંત્ર પણ હોઈ શકે છે, જો કે હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી.આ દુર્ઘટનામાં બસની અંદર બેઠેલો કંડક્‍ટર આગમાં જીવતો ભડથું થઇ ગયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here