નુસરતે એ પણ જણાવ્યું કે, સિંગલ મધર નથી, તેના બાળક યીશાનના એક સામાન્ય પિતા અને સામાન્ય માતા છે. આ શોમાં નુસરતે પ્રેગ્નન્સી દરમિયાન શરીરમાં થતા હોર્મોન્સ ફેરફાર વિશે પણ જણાવ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
બંગાળી ફિલ્મ અભિનેત્રી અને TMC સાંસદ નુસરત જહાંએ માતા બનવાના નિર્ણય વિશે ખુલીને પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. નુસરતે પોતાના ચેટ શો ઈશ્ક વિથ નુસરત દરમિયાન જણાવ્યું કે, આ એક બોલ્ડ ડિસીઝન હતું.નુસરતે ઓગસ્ટ 2021માં યીશાનને જન્મ આપ્યો હતો. એક્ટર યશ દાસગુપ્તા યીશાનના પિતા છે.
શો સાથે સંબંધિત એક વીડિયોમાં નુસરતે એક સોશિયલ મીડિયા યુઝરના સવાલનો જવાબ આપ્યો છે. જેમાં યુઝરે પૂછ્યું હતું કે 2021માં તેનું સૌથી બોલ્ડ ડિસીઝન શું હતું, આ અંગે તેણે કહ્યું, મધરહૂડ મારી જર્ની 2021નું સૌથી બોલ્ડ ડિસીઝન હતું.
મેં કોઈ ભૂલ નથી કરી. આ મારી લાઈફ છે અને તેથી જ મેં આ નિર્ણય લીધો છે. લોકોને આ બોલ્ડ લાગી શકે છે, પરંતુ મારું માનવું છે કે આ એક સારો નિર્ણય હતો. હું આ વિશે ક્યારેય વાત નથી કરતી, જેથી હું મારો વિવેક જાળવી શકું.
પ્રેગ્નન્સી વિશે વાત કરતા નુસરતે કહ્યું કે, જો તેના ઘરમાં એક છોડ સુકાઈ જાય તો તે રડે છે. નુસરતે ખુલાસો કર્યો કે, હું મારા શરીરમાં હોર્મોન્સ ફેરફારના કારણે હું કારણ વગર રડતી અને હસતી હતી. સવારે 3 વાગે કેળું ખાવાની ઈચ્છા થતી હતી. એક એવું ફળ જે તેણે આખી જિંદગીમાં ક્યારેય ખાધુ ન હતું.
મેં મારા નાકમાં કોઈ ફેરફાર કર્યો નથી. હોર્મોનમાં ફેરફારને કારણે મારું નાક બદલાઈ ગયું હતું. મારા પગમાં સોજા આવી ગયા હતા. જ્યારે મારા દીકરાનો જન્મ થયો તેના પછી મારી હાલત સારી થઈ. તો યશે જ દીકરાને તેડ્યો હતો.
જો કે, નુસરતના લગ્ન પણ ચર્ચામાં રહ્યા. તેને બિઝનેસમેન નિખિલ જૈન સાથે 2019માં તુર્કીમાં લગ્ન કર્યા હતા. આ વર્ષે જૂનમાં તેણે એવું કહીને છૂટાછેડા લીધા કે આ લગ્ન ભારતીય કાયદા અનુસાર માન્ય નથી.
Read About Weather here
નુસરત હંમેશાંથી યીશાન અને યશના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તેને હજી સુધી બાળકનો ચહેરો રિવીલ નથી કર્યો. જ્યારે યીશાનને જન્મ આપીને નુસરત હોસ્પિટલની બહાર આવી હતી
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here