રાજકોટમાં હાર્દિક પટેલના આકરા પ્રહારો
ગુજરાતમાં આગામી દિવસોમાં નેતૃત્વ અંગે નિર્ણય લેવાઇ રહયાનો સંકેત આપતા પાટીદાર નેતા
ગુજરાત કોંગ્રેસન કાર્યકારી પ્રમુખ અને તેજીલા વકતા હાર્દિક પટેલે આજે રાજકોટમાં ટુંકી મુલાકાત દરમ્યાન ભાજપ પર ભારે આકરા પ્રહારો કર્યા હતા. હાર્દિક પટેલે મોદી સરકાર પર ચાબખા મારતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ સત્તામાં ન આવે તે માટે ભાજપ ષડયંત્ર રચે છે પણ અમે મોદી સરકારની જેમ કોઇને ડરાવી કે દબાવીને સાથે રાખતા નથી.
Subscribe Saurashtra Kranti here
નીખિલ સવાણીના પક્ષાતર અંગે હાર્દિક પટેલે તીખી ટકોર કરી હતી કે, નીખિલ સવાણીને જયાં જવું હોય ત્યાં જઇ શકે છે. તેઓ આમ આદમી પાર્ટીમાં ગયા છે તેનાથી કોંગ્રેસને કંઇ ફેર પડતો નથી.
કોંગ્રેસ પર આમ આદમી પાર્ટીની નજર છે પણ અમારા કરતા તો વધુ ભાજપના લોકો આમ આદમી પાર્ટીમાં ગયા છે. તેમણે ભાજપ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભાજપ અને મોદી સરકારથી નારાજ થયેલા મતદારો કોંગ્રેસ તરફ ન જાય એ માટે આમ આદમી પાર્ટી ઉભી કરવામાં આવી છે.
‘આપ’ને મત મળે અને કોંગ્રેસ સત્તામાં ન આવે એ માટેનું ભાજપનું આ ષડયંત્ર છે. હાર્દિક પટેલે દાવો કર્યો હતો કે, આગામી વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસને 125 બેઠકો મળશે એવો મને વિશ્ર્વાસ છે.
યુવક કોંગ્રેસની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત સભ્ય નોંધણી અભિયાન માટે રાજકોટ આવેલા હાર્દિક પટેલે પત્રકારો સાથે વાતચિત કરી હતી. તેમણે યુવક કોંગ્રેસની સભામાં હાજરી આપી હતી
અને જણાવ્યું હતું કે, અગાઉ 2015ની ચૂંટણીમાં માત્ર પાટીદાર સમાજ ભાજપથી નારાજ થયો હતો હવે તમામ સમાજ ભાજપથી નારાજ થયા છે. જનતા હવે વિપક્ષને સાથ સહકાર આપે એ જરૂરી છે. પ્રજાની ફરીયાદ અને અવાજ સાંભળવા અમે સતત કાર્યરત છીએ.
તેમણે યુવક કોંગ્રેસની ટીમને મજબુત બનાવવાનો નિધાર વ્યકત કર્યો હતો. ઓનલાઇન સભ્યપદ ઝુંબેશ 20 જુલાઇથી 20 ઓગષ્ટ સુધી ચાલુ રાખવામાં આવશે. હાર્દિકે સુચક વાત કરી હતી કે, યુવા નેતૃત્વને કોંગ્રેસે હંમેશા પ્રોત્સાહન આપ્યું છે.
Read About Weather here
ગુજરાતા નેતૃત્વનો નિર્ણય પણ ટુંક સમયમાં લેવામાં આવશે. પંજાબ બાદ હવે ગોવા અને ગુજરાત અંગે ફેંસલો લેવાશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here