ધોનીએ કરિયર અંગે ઘટસ્ફોટ કર્યો

ધોનીએ કરિયર અંગે ઘટસ્ફોટ કર્યો
ધોનીએ કરિયર અંગે ઘટસ્ફોટ કર્યો
જોકે આ મેચ CSKના ફેન્સ તથા ટીમ માટે ખાસ રહી હતી કારણ કે મહેન્દ્ર સિંહ ધોની ફરીથી પીળી જર્સીમાં કેપ્ટન તરીકે મેદાનમાં ઉતર્યો હતો. IPL 2022ની 46મી મેચ હૈદરાબાદ અને ચેન્નઈ વચ્ચે રમાઈ હતી. તમને જણાવી દઈએ કે શનિવારે 30 એપ્રિલે સર જાડેજાએ કેપ્ટનશિપ ધોનીને પરત સોંપી દીધી હતી. જેથી આ મેચમાં ટોસ દરમિયાન ધોનીને તેની આગામી સફર વિશે પૂછવામાં આવ્યું હતું. જેનો કેપ્ટન કૂલે પોતાના અંદાજમાં રસપ્રદ જવાબ આપ્યો હતો.સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી. પરંતુ સૌથી વધારે ચર્ચા તો ધોની અને તેની આગામી ક્રિકેટ સફર અંગે રહી હતી. ધોનીને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો કે તે ક્યાં સુધી પીળી જર્સી (CSK) પહેરતા રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

ધોનીએ કરિયર અંગે ઘટસ્ફોટ કર્યો ધોની

તેવામાં જવાબ આપતા ધોનીએ કહ્યું કે અલબત્ત, તમે મને ફક્ત પીળી જર્સીમાં જ જોશો, પરંતુ તે આ હશે કે અન્ય કોઈ તેના વિશે હું જાણતો નથી.મહેન્દ્ર સિંહ ધોનીએ આપેલા જવાબ પરથી અનુમાન લગાવાઈ રહ્યું છે કે માહી હજુ ચેન્નઈમાં રહેશે. ટોસ દરમિયાન તેણે કહ્યું કે હું IPLમાં માત્ર પીળી જર્સીમાં જ જોવા મળીશ. પરંતુ કયો રોલ હશે એ નક્કી નહીં. તમને જણાવી દઈએ કે અગાઉ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ધોનીને પોતાની છેલ્લી મેચ ચેન્નઈના ગ્રાઉન્ડમાં રમવી હતી. તેવામાં આ સિઝન તો હજુ મુંબઈ, પુણે અને પ્લેઓફ કોલકાતા તથા અમદાવાદમાં રમાશે. તો ધોનીનું ચેન્નઈમાં રમવાનું સપનું અધુરુ રહેશે.

Read About Weather here

તેવામાં પ્રાથમિક અનુમાન પ્રમાણે તે હજુ લાંબી ઈનિંગ રમી શકે છે.મહેન્દ્ર સિંહ ધોનીએ ફરીથી એક કોયડો ફેન્સ સામે રાખ્યો છે. જેમાં અનુમાન લગાવાઈ રહ્યું છે કે મહેન્દ્ર સિંહ ધોની પીળી જર્સીમાં તો જોવા મળશે પરંતુ કોચિંગ સ્ટાફ અથવા મેન્ટોર તરીકે ચેન્નઈ સાથે જોડાઈ શકે છે. જોકે હજુ સુધી ધોનીએ IPLમાંથી નિવૃત્તિની જાહેરાત પણ નથી કરી તો એવું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે કે તે આગામી સિઝનમાં પણ કેપ્ટન તરીકે મેચ રમે.CSKના જણાવ્યા પ્રમાણે રવિન્દ્ર જાડેજાએ પોતાની ગેમ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો છે અને એમએસ ધોનીને CSKનું નેતૃત્વ કરવા વિનંતી કરી છે. જેના જવાબમાં ધોનીએ ટીમના હિતમાં ચેન્નઈનું નેતૃત્વ કરવાની ઓફર સ્વીકારી લીધી છે. . ત્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં મહેન્દ્ર સિંહ ધોની ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે.ચેન્નઈ સુપર કિંગ્સે આગામી મેચ રવિવારે એટલે 1 મેના દિવસે રમવાની છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here