ધર્મ સાથેની રાજનીતિથી લોકસેવા પ્રબળ બને છે: પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલ

ધર્મ સાથેની રાજનીતિથી લોકસેવા પ્રબળ બને છે: પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલ
ધર્મ સાથેની રાજનીતિથી લોકસેવા પ્રબળ બને છે: પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલ

રાજકોટ નજીકના સરધાર ખાતે સ્વામિનારાયણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થતા મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો
સરધારનગર સાથે ભગવાન સ્વામિનારાયણનો વિશિષ્ટ સંબંધ: મુખ્યમંત્રી
કોરોનો મહામારી વખતે મદદ કરવા માટે સ્વામિનારાયણ સંપ્રદાય સદા અગ્રેસર હતું: પાટીલ
જનરલ બીપીન રાવત અને તેમના ધર્મપત્ની તેમજ અન્ય દિવંગતોને શ્રધ્ધાસુમન પાઠવ્યા હતા. બે મીનીટનું મૌન પાળ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ભગવાન સ્વામિનારાયણની ચરણરજથી પાવન બનેલા સરધાર ધામની પવિત્ર ભૂમિ પર નિર્માણ પામેલા ભવ્ય મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થઇ સંતોના આશીર્વાદ મેળવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે રાજકોટ રાજ્યની એક વેળાની રાજધાની એવા આ સરધારનગર સાથે ભગવાન સ્વામિનારાયણનો વિશિષ્ટ સંબંધ છે. મુખ્યમંત્રીએ વધુંમાં જણાવ્યું કે સેવા-સદાચાર અને સંસ્કાર સિંચન સદીઓથી સ્વામિનારાયણ સંપ્રદાયની ઓળખાણ બન્યા છે.

સ્વામિનારાયણ સંપ્રદાય એટલે સ્વને ભૂલીને સમષ્ટિના હિતની પરંપરા. લોકોના કલ્યાણની ભાવના. સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ આજે સૌથી વધુ નિર્વ્યસની, સંસ્કારી અને સમૃદ્ધ છે, તેના મૂળમાં સ્વામિનારાયણ સંપ્રદાયની વ્યક્તિત્વ નિર્માણના સમાજ સંસ્કારની પરંપરા છે.

ભગવાન સ્વામિનારાયણે સરધારની આ ભૂમિ પર પગલાં કર્યા અને દરબાર ગઢમાં ચાર્તુમાસ ગાળ્યો હતો. રાજવીઓ- ગામ લોકોએ તેમનું સામૈયુ કર્યુ ત્યારે ભગવાન સ્વામિનારાયણે અહિં એક ભવ્ય મંદિરના નિર્માણની ભવિષ્યવાણી કરેલી તે આજે સાકાર થઇ છે.

આ મહોત્સવમાં સંપ્રદાયના સંતો માધવપ્રિયદાસજી સ્વામી,દેવકૃષ્ણસ્વામી, દેવપ્રકાશસ્વામી તેમજ વાહન વ્યવહાર રાજય મંત્રી અરવિંદભાઇ રૈયાણી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા,

મંદિર ટ્રસ્ટી નીતીનભાઇ, અગ્રણી માંધાતાસિંહ તેમજ સંગઠનના પદાધિકારી નાગદાનભાઇ ચાવડા, મનીષ ચાંગેલા, ચેતન રામાણી,ડો. વલ્લભભાઇ કથીરીયા, રાજુભાઈ ધૃવ, કલેકટર અરૂણ મહેશ બાબુ તેમજ અન્ય મહાનુભાવો હરીભકતો ઉપસ્થિત રહયા હતા.

મુખ્યમંત્રીએ સંપ્રદાયની સેવાને બીરદાવતા મુખ્યમંત્રીએ કહયું કે કોરોના મહામારી, ભૂકંપ, ટાઢ, પૂર-અતિવૃષ્ટિ જેવી તમામ આફતો જ્યારે જ્યારે પણ ગુજરાત પર ત્રાટકી ત્યારે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયનો સરકારને આભ જેવડો ટેકો મળ્યો છે.

યોગાનુયોગ આ વર્ષ આઝાદીનું પણ અમૃત પર્વ- અમૃત મહોત્સવ વર્ષ છે ત્યારે ભગવાન સ્વામિનારાયણે ચિંધેલા સંસ્કાર-શિક્ષણ-સદાચારના સિંચનનું કાર્ય મંદિર રાષ્ટ્ર નિર્માણ માટે યુવા પેઢીમાં નેશન ફર્સ્ટના ભાગ પર પાર પાડી રહ્યું છે.

મુખ્યમંત્રીએ અબુધાબીમાં નિર્માણ થઇ રહેલા સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લેવાની પણ તક મળી હતી તેમ જણાવતા ઉમેર્યું કે હિન્દુ સંસ્કૃતિના સર્વગ્રાહી પ્રસારના કેન્દ્રો સમા આ મંદિર પણ રાષ્ટ્રચેતના ઊજાગર કરે છે.

સ્વામિનારાયણ સંપ્રદાયે ગુરુકુલ, છાત્રાલય, શાળા-કોલેજ, હોસ્પિટલ અને સાંસ્કૃતિક કેન્દ્રો સમા મંદિરોનું નિર્માણ કરી વ્યક્તિના સ્વાસ્થ્ય, શિક્ષણ સંસ્કાર સિંચનના અદભૂત કાર્યો કર્યા છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં સદવિદ્યા પ્રવર્તન અને સર્વ જીવ હિતાવહ એવી સેવાપ્રવૃત્તિનો સંદેશો આપ્યો છે.

ભગવાન સ્વામિનારાયણના આશિષથી ગુજરાતના ખૂણે ખૂણે વિકાસની લહેર આપણે લઇ જવી છે અને ગુજરાતના વિકાસ થકી ભારતને જગદગુરુ બનાવવું છે તેમ જણાવી સંતો અને હરિભક્તોના સહયોગથી આત્મનિર્ભર ભારતના નિર્માણનો વડાપ્રધાન નરેન્દ્રભાઈનો સંકલ્પ આપણે આત્મનિર્ભર ગુજરાતથી પૂર્ણ કરવો છે


વકતવ્યના પ્રારંભે મુખ્યમંત્રીએ હેલિકોપ્ટર અકસ્માતમાં શહીદ થયેલા સી.ડી.એસ જનરલ બિપીન રાવત અને તેમના ધર્મપત્ની તેમજ અન્ય દિવંગતોને શ્રધ્ધાસુમન પાઠવ્યા હતા. સૌએ ઉભા થઇને બે મીનીટનું મૌન પાળ્યું હતુ.

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ધર્મ અને રાજકારણ બંને એક બીજાથી અળગા ક્યારેય ન હોય કારણ કે ધર્મ વગરનું રાજકારણ અનીતિ નોતરે છે. સામાજિક જીવનમાં જ્યારે પણ સમસ્યાઓ ઉદ્ભવે છે ત્યારે નીતિવિષયક નિર્ણયો લેવાના થાય છે.

આવા સમયે દેશ, રાજ્યોના લોકો માટે નિર્ણય લેતી વખતે ધર્મએ હંમેશા સત્યની દિશા દોરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયે યુવાનો માટે અભ્યાસની વ્યવસ્થા પણ કરી છે. આ વિદ્યાર્થીઓને જ્ઞાનની સાથે ધર્મનું જ્ઞાન પણ આપવામાં આવે છે.

વ્યક્તિત્વ નિર્માણના પરિણામો પણ અહીંથી જ મળી રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાય દેશહિત અને લોકહિતની જવાબદારી ઉઠાવીને દેશ અને સમાજ નિર્માણમાં મહત્વનું યોગદાન આપી રહ્યું છે. કોરોનો મહામારી વખતે મદદ કરવા માટે સ્વામિનારાયણ સંપ્રદાય સદા અગ્રેસર હતું.

Read About Weather here

આ પ્રસંગે મંદિરના નિર્માતા- કથાના વકતા નિત્ય સ્વરૂપસ્વામી અને નૌતમ પ્રકાશ સ્વામીએ આશીર્વચન પાઠવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here