અત્યાર સુધી તેણે જેટલા રોલ નિભાવ્યા છે તે નેગેટીવ જ રહ્યા છે. ટીવી પરદાની અભિનેત્રી આમ્રપાલી દૂબેને ચાહકો તેણીના નેગેટીવ રોલને કારણે વધુ ઓળખે છે. આમ્રપાલી કહે છે મને લોકો ટાઇપકાસ્ટ કહે છે પરંતુ તેનાથી મને ફરક પડતો નથી.
Visit Saurashtra Kranti Homepage here
મને લાગે છે કે દર્શકો મને આવા રોલમાં જ પસંદ કરે છે. દર્શકોના દિલમાં જગ્યા બનાવી રાખવી અને પ્રેમ મેળવતા રહેવું એ મારા માટે વધુ મહત્વનું છે. હાલમાં આમ્રપાલી ટીવી શો ‘ગૂડ સે મીઠા ઇશ્ક’ શોમાં પણ નેગેટીવ રોલ નિભાવી રહી છે. તે કહે છે તમે જ્યાં કામ કરો ત્યાં વાતાવરણમાં તમારે એડજસ્ટ થવું જરૂરી છે.
Read About Weather here
આ શોમાં હું થોડા યંગ લૂક સાથે અને થોડી ઓલ્ડ તથા મેચ્યોર દેખાઇ રહી છું. આ ઉપરાંત હું એક ડાન્સર પણ છું. અંગત જીવનમાં પણ મને ડાન્સ માટે ખુબ ઘેલુ છે. હું ખુશ છું કે મારા દરેક પાત્રોને દર્શકોએ હમેંશા પસંદ કર્યા છે.આમ્રપાલી હવે ટીવી ઉપરાંત બોલીવૂડ અને ઓટીટીમાં પણ કામ કરવા ઇચ્છે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here