દયા ભાભી પરત ફરશે…!?

દયા ભાભી પરત ફરશે...!?
દયા ભાભી પરત ફરશે...!?
સિરિયલમાં જેઠાલાલે આ અંગે સંકેત આપ્યો હતો.સિરિયલના લેટેસ્ટ એપિસોડમાં જેઠાલાલ (દિલીપ જોષી), મિસ્ટર સોઢી (બલવિંદ સિંહ સૂરી)ને કહે છે’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દિશા વાકાણી છેલ્લાં ચાર વર્ષથી શોમાં જોવા મળતી નથી. હવે ચર્ચા છે કે દિશા વાકાણી એટલે કે દયાભાભી શોમાં પરત ફરશે.  કે તે નસીબદાર છે કે તેની પત્ની 2-4 દિવસમાં પરત આવી જશે. આ દરમિયાન જેઠાલાલ કહે છે કે જ્યારથી દયા અમદાવાદ ગઈ છે, ત્યારથી પરત આવી શકી નથી.

Visit Saurashtra Kranti Homepage here

તો તારક મહેતા (શૈલેષ લોઢા) જેઠાલાલને કહે છે કે તે અમદાવાદ જઈને દયાભાભીને લઈ આવે, કારણ કે અમદાવાદ એટલું દૂર નથી.તારક મહેતાની વાત સાંભળીને જેઠાલાલ ઉદાસ થઈ જાય છે અને કહે છે કે તેણે જ્યારે પણ દયાને પરત લાવવાની યોજના બનાવી, ત્યારે કોવિડ 19ના નિયમો લાગુ થઈ જાય છે. આટલું કહ્યાં બાદ જેઠાલાલ કહે છે કે જ્યારે કોવિડ 19ના નિયમો હટાવી દેવામાં આવશે ત્યારે તે દયા સાથે યાત્રા પર જશે.

Read About Weather here

છેલ્લે ઐય્યર (તનુજ મહાશબ્દે), જેઠાલાલને પૂછે છે કે તે શું કરવાનો છે? તો જેઠાલાલે જવાબ આપ્યો હતો કે તે તો દયા પર નિર્ભર છે.ઉલ્લેખનીય છે કે દેશભરમાં કોરોનાના નિયમો સાવ હળવા કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ ચાહકોમાં એવી ચર્ચા થવા લાગી કે દેશભરમાં જ્યારે કોરોનાના નિયમો નામ પૂરતા રહી ગયા છે તો હવે સિરિયલમાં પણ દયાભાભી પરત ફરશે. હવે સિરિયલમાં નવાં દયાભાભી આવે છે કે દિશા વાકાણી તે જાણવા માટે ચાહકો ઉત્સુક છે. જો દિશા વાકાણી શોમાં પરત નથી જ ફરતી તો તે રિપ્લેસમેન્ટ શોધશે.દિશાએ 2017માં નવેમ્બર મહિનામાં દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો. હવે તેની દીકરી 3 વર્ષની થઈ ગઈ છે. દિશાએ ઓક્ટોબર, 2017થી મૅટરનિટી બ્રેક લીધો હતો.ઉલ્લેખનીય છે કે થોડાં સમય પહેલાં અસિત મોદીએ કહ્યું હતું કે તે અંતિમ ક્ષણ સુધી દિશા વાકાણીને શોમાં લાવવાનો પ્રયાસ કરશે. આ પાત્ર ચાહકોમાં ઘણું જ લોકપ્રિય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here