અક્ષય કુમારની અગાઉની ફિલ્મો ધડાધડ ફલોપ નિવડયા પછી એ નવા કામમાં વળગી ગયો છે. તે સ્પષ્ટ કહે છે કે પૈસા માટે હું કોઇપણ રોલ કરવા તૈયાર રહુ છું. કારણ કે હું ત્રણ બાબતોને સમજી ગયો છું અને એ છે કામ, કમાણી અને કર્મ. જ્યાં સુધી મારાથી થશે ત્યાં સુધી કામ કરતો રહીશ.
Visit Saurashtra Kranti Homepage here
અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધન ૧૧ ઓગષ્ટે રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે ભૂમિ પેડનેકર મુખ્ય ભુમિકામાં છે. આ ઉપરાંત ચાર નવોદીત કલાકારો પણ જોવા મળશે. આ ચારેય અભિનેત્રી અક્ષય કુમારની બહેનોનો રોલ નિભાવી રહી છે.
Read About Weather here
આનંદ એલ. રાય નિર્દેશીત આ ફિલ્મ ઉપરાંત અક્ષય કુમાર સેલ્ફીમાં પણ કામ કરી રહ્યો છે. આ ડ્રામા કોમેડીમાં તેની સાથે ઇમરાન હાસમી, ડાયના પેન્ટી અને નુસરત ભરૂચા છે. ઉપરાંત તે સુરૈયાની તમિલ ફિલ્મની હિન્દી રિમેક પણ કરી રહ્યો છે. અક્ષય કહે છે મને મળતાં કોઇપણ કામની હું ના નથી કહેતો. કારણ કે કામ કરવાથી પૈસા મળે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here