પીઆઈ વી.કે. ગઢવીને વડોદરાની પોલીસ તાલીમ શાળામાં બદલી આપી દેવાઈ છે.બહુ ગાજેલા તોડ કાંડમાં આખરે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીનું વિસર્જન કરી દેવાયુ છે. બન્ને બ્રાન્ચના તમામ પીએસઆઈની બદલી થશે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે જ ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયાએ આઠ પીએસઆઈના ખાસ અલગથી બદલીના ઓર્ડર કાઢ્યા છે. જેને લઈ પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
આ ઉપરાંત SOG પીઆઇ આર.વાય.રાવલ ગાંધીનગર ખાતે મુકાયા છે.પીઆઈ રાવલની પદરખર્ચે બદલી થઈ છે, એટલે કે તેમણે બદલી માંગી હોય અને અપાઈ છે. પરંતુ પીઆઇ ગઢવી અને આઠેય પીએસઆઈને જાહેર હિતમાં ટ્રાન્સફર આપાઈ છે. ડીજીપીએ ખાસ નોંધ કરી છે કે, બિન સંવેદશીલ જગ્યાએ જ નિમણૂક આપવી.આ બદલીના ઓર્ડર થતા હવે સીપી, ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓની પણ બદલી થવાના હુકમો આવી શકે તેવી સંભાવના છે
Read About Weather here
ક્રાઇમ બ્રાંચના પી.એમ.ધાખડાને વડોદરા શહેર, વિજય જાડેજાને સુરત શહેર, એમ.બી.રબારીને પશ્ર્ચિમ રેલવે વડોદરા, પી.બી.જેબલીયાને વડોદરા શહેર, એમ.એમ.ઝાલા પશ્ર્ચિમ રેલવે અમદાવાદ અને જે.એ.ખાચરને કચ્છ પશ્ર્ચિમ ભુજ, તેમજ એસઓજીના એમ.એસ.અંસારીને વડોદરા ગ્રામ્ય, ટી.બી.પંડયાને તાપી-વ્યારા ખાતે મુકાયા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here