ટ્રાફિક શાખાની તિજોરીમાં એક દિવસમાં 6 લાખથી વધુ ઠલવાયા

ટ્રાફિક શાખાની તિજોરીમાં એક દિવસમાં 6 લાખથી વધુ ઠલવાયા
ટ્રાફિક શાખાની તિજોરીમાં એક દિવસમાં 6 લાખથી વધુ ઠલવાયા
રાજકોટ શહેરમાં ટ્રાફિક એસીપી વી.આર.મલ્હોત્રાએ એક નોટિસ જાહેર કરી હતી. જેમાં ઈ-મેમો બાકી હોય તેવા વાહન ચાલકોને તા.25 જૂન સુધીમાં ઈ-મેમો ભરી દેવા સ્પષ્ટપણે તાકિદ કરવામાં આવી છે કે, જો તેઓ ઈ-મેમોની ભરપાઈ નહીં કરે તો તેની સામે લોક અદાલતમાં કેસ કરવામાં આવનાર હોવાનું પણ જણાવાયું છે. આ નોટિસને પગલે લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને આજે સવારથી ટ્રાફિક પોલીસ કચેરીની બહાર પેન્ડિંગ ઈ-મેમો ભરવા લોકોની લાંબી કતારો લાગી હતી.અને ટ્રાફીક સૂત્રોના જણાવ્યા પ્રમાણે એક જ દિવસમાં ઇ-મેમોની 6 લાખ 61 હજાર 600ની વસુલાત થઇ હતી ઉપરાંત અન્ય ટ્રાફીક માંથી 3,04,100 ની આવક થઇ હતી. સતત બીજા દિવસે પણ મેમો ભરવા લોકોએ લાઇનો લગાવી છે. આજે પણ લાખોની આવક થાય તેવી શક્યતાઓ છે.

Visit Saurashtra Kranti Homepage here

નોંધનીય છે કે ઈ-મેમો બાબતે હાઇકોર્ટે પણ રોક લગાવી હતી અને ઇ-મેમો જનરેટ થયાના છ મહિનામાં જો વાહનચાલક દંડ ભરપાઇ ન કરે તો છ મહિનામાં પોલીસ એનસી કેસ દાખલ કરી શકે, અને જૂના ઇ-મેમોના દંડ વસૂલવાનું બંધ કરવા આદેશ કર્યો હતો. છતાં ટ્રાફિક એસીપીએ લોકઅદાલતના મામલે પ્રસિદ્ધ કરેલા મેસેજમાં છ મહિનામાં જનરેટ થયેલા ઇ-મેમો માટે જ તા.25 સુધીમાં દંડ ભરપાઇ કરવો તેવું સ્પષ્ટ નહીં કરતાં વાહનચાલકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

Read About Weather here

નિયમ વિરૂધ્ધ કરેલ નિર્ણયના વિરોધમાં ઇ-મેમા પ્રશ્ર્ને કોર્ટમાં લડત ચલાવી રહેલા એડવોકેટ કિરીટ નકુમ અને હેમાંશુ પારેખે જણાવ્યું છે કે, કાયદાની જોગવાઇ મુજબ છ માસ પહેલાના મેમાની વસુલાત થઇ શકતી ન હોય લોકોએ ગભરાવાની જરૂર નથી. લોકઅદાલતમાં સમાધાનથી કેસોનો નિકાલ કરવામાં આવતો હોય છે. એન.સી.કેસ કરીને સીધો દંડ વસુલ કરી શકતો નથી. લોકોનો કેસ લડવા માંગતા હોય તો પોલીસના મેમાને ચેલેન્જ કરીને કેસ પણ લડી શકે છે. ત્યારે હવે પોલીસે પણ ટ્રાફીક ઓફીસની બહાર બોર્ડ લગાવી દિધા છે. કે છ મહિનાની ના જ મેમો સ્વીકારવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here