જે કામની ગ્રાન્ટ પાસ નથી થઇ, જે કામનું ટેન્ડર નથી થયું તેનું ભાજપે ખાતમુહૂર્ત કરી નાખ્યુ

જે કામની ગ્રાન્ટ પાસ નથી થઇ, જે કામનું ટેન્ડર નથી થયું તેનું ભાજપે ખાતમુહૂર્ત કરી નાખ્યુ
જે કામની ગ્રાન્ટ પાસ નથી થઇ, જે કામનું ટેન્ડર નથી થયું તેનું ભાજપે ખાતમુહૂર્ત કરી નાખ્યુ

પ્રજાને ઉલ્ટા ચશ્માં પહેરાવતા ભાજપના શાસકો: કોંગ્રેસ
સસ્તી પ્રસિદ્ધી મેળવવા ભાજપે હિન પ્રયાસ કર્યો: આક્ષેપ
રસ્તા મેટલીંગ કરવા માટે ભાજપે કાગળિયો લખી ખાતમુહૂર્ત કરી નાખ્યું : ભાનુબેન સોરાણી

રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી, પૂર્વ વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, કોર્પોરેટર મકબુલભાઈ દાઉદાણી અને કોમલબેન ભારાઈ આક્ષેપો કરતા જણાવ્યું છે

Visit Saurashtra Kranti Homepage here

કે ભાજપના શાસકો દ્વારા વોર્ડ નં.15માં મેટલીંગ કામ કરવાનું ખાતમુહૂર્ત કર્યું છે તે બાબતે કોંગી કોર્પોરેટરોએ સ્પષ્ટતા પૂર્વક જણાવ્યું છે કે વોર્ડ નં.15માં આવેલ રામપાર્ક, સહજાનંદપાર્ક અને મુકેશપાર્ક વિસ્તારના રોડ બનાવવા અને વિકાસ કાર્ય કરવા માટે અનેક વખત રજુઆતો કરવામાં આવેલ છે

તેમજ ડેપ્યુટી ઈજનેર, સીટી ઈજનેર, અને નાયબ કમિશ્નરને પણ રજુઅતો કરેલ છે ત્યારે ભાજપના શાસક પક્ષ નેતાએ કામ કરવા અંગે ફક્ત પત્ર લખ્યા બાદ ફોટોસેશનના શોખીન અને સસ્તી પ્રસિદ્ધી મેળવવાના ભૂખ્યા ભાજપના શાસકોએ

જે કામનું એસ્ટીમેટ મંજુર થયું નથી. જે કામની ગ્રાન્ટ પાસ નથી થઇ જે કામનું ટેન્ડર નથી થયું તે કામનું ભાજપે ખાતમુહૂર્ત કરી નાખ્યું સસ્તી પ્રસિદ્ધી મેળવવા ભાજપે હિન્ન પ્રયાસ કર્યો છે.

જયારે પાંચ વર્ષ પહેલા રાજકોટ મહાનગરપાલિકા એ કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા કરવામાં આવેલ રજુઆતો અંગે વોર્ડ નં.15માં ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તારમાં મેટલીંગ કામ કરવા અને વિકાસ કામ કરવા માટે ફાઈલ ઉપસ્થિત કરવામાં આવેલ હતી

જે ફાઈલમાં મનપાના અધિકારીઓએ એવું નોટીંગ કરેલ છે અને ક્વેરી કાઢેલ હતી કે આ ઇન્ડસ્ટ્રીઅલ એરિયા છે જે એરિયામાં કોર્પોરેશન ગ્રાન્ટ ન ફાળવે તેમજ જ્યાં સુધી સાર્વજનિક પ્લોટ મનપાને ન સોંપે ત્યાં સુધી

રાજકોટ મહાનગરપાલિકા વિકાસ કામ હાથ ધરી શકે નહી અને ગ્રાન્ટ ન હોવાના બહાના કાઢ્યા હતા ત્યારે બિલ્ડરના મળતિયા અને અંગત આર્થિકહિત સાચવનારા ભાજપના શાસકો એ પોતાના ઈશારે જ આ કામ થવા દીધું નથી અને કરોડો રૂપિયાની કિંમતી જમીન પચાવી જવા આ કાવતરું કર્યું છે

ત્યારે આ કામના ખાતમુહૂર્ત કરવા પહોંચેલા ભાજપના નેતાને સ્થાનિકોએ સાથે ફોટા પડાવવા પણ ન આવ્યા ત્યારે ભાજપના કાર્યકરોને બોલાવી ફોટોસેશન કરવું પડ્યું હોવાની સ્થિતિ સર્જાઈ હતી.

જયારે વિધાનસભાની ચુંટણી નજીક આવી ત્યારે ભાજપના નેતાઓ કુવામાંના દેડકાની જેમ બહાર નીકળ્યા છે અને વોર્ડ નં.15ની જનતાને ઉલ્ટા ચશ્માં પહેરાવવા ની કોશિશ કરે છે પરંતુ વોર્ડ નં.15ની જનતા જાણે જ છે

અને જનતાએ કોંગ્રેસ ઉપર સંપૂર્ણ ભરોસો મુક્યો છે ત્યારે ભાજપ દ્વારા ખોટી રીતે લાગણી મેળવવાનો પ્રયાસ કર્યો છે અને વોર્ડ નં.15ની જનતા જાણે જ છે કે કોણ કામ કરે છે અને કોણ બોલેલા વચનો પુરા પાળે છે

Read About Weather here

ત્યારે ભાજપના શાસકો વોર્ડ નં.15માં જશ ખાટવાના પ્રયાસો અને પ્રજાને ઉલ્ટા ચશ્માં પહેરાવવાનું બંધ કરે તેવું કોંગ્રેસના કોર્પોરેટરો ભાનુબેન સોરાણી, વશરામભાઈ સાગઠીયા, મકબુલભાઈ દાઉદાણી અને કોમલબેન ભારાઈએ જણાવ્યું છે.(4.4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here