૨૫ કટા ઘઉં – ૩૦ કટા ચોખા,ચાર પેટી કપાસિયા તેલ, લેપટોપ- રોકડ મળી કુલ રૂ.૩૫૪૬૪નો મુદામાલ શટર ઉચકાવી ચોરી જતા તસ્કરો
જેતપુરના નવાગઢમાં સસ્તા અનાજની દુકાનમાં તસ્કરોએ ત્રાટકી સરકારી ઘઉં – ચોખા, તેલના પાઉચ મળીને કુલ રૂ. ૩૫૪૬૪ નો મુદામાલ ચોરી કરી ગયા અંગેની ફરિયાદ નોંધાઈ છે.
Visit Saurashtra Kranti Homepage here
ચોરીના બનાવ અંગે જેતપુરમાં ફૂલવાડી પાસે રહેતા ઇકબાલ હનીફભાઈ જફાઈ ( ઉ.વ ૪૪) ની ફરિયાદ પરથી જેતપુર પોલીસે અજાણ્યા ચાર તસ્કરો સામે સસ્તા અનાજની દુકાનના તાળા તોડી ચોરી કરી ગયા અંગેની ફરિયાદ નોંધાવી છે.
Read About Weather here
ફરિયાદી આરબ યુવાને જણાવ્યું છે કે ગત તા ૨૫ ના રોજ વહેલી સવારે છોટા હાથી લઈ આવેલા અજણાયા તસ્કરોએ પાઇપ વડે શટર ઉચકાવી અંદર પ્રવેશ કર્યા બાદ ૨૫ કટા ઘઉં, ૩૦ કટા ચોખા, ૪૮ લીટર કપાસિયા તેલ, લેપટોપ, રોકડ રૂપિયા મળી કુલ રૂ. ૩૫૪૬૪ નો મુદામાલ ચોરી કરી ગયા અંગેની ફરિયાદ નોંધાવી છે. પી.એસ.આઈ આર.ડી.ખરાડીની ટીમે આરોપીને સંકજમાં લઈ વધુ તપાસ હાથ ધરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here